ફુગાવાને નિયંત્રણ હેઠળ લાવવા પ્રાથમિકતાઃFM

ફુગાવાને નિયંત્રણ હેઠળ લાવવા પ્રાથમિકતાઃFM

કોન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા નવી દિલ્હી ખાતે શુક્રવારથી શરૂ થયેલી B20 સમિટની ત્રણ દિવસીય બેઠક દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમને ખાસ કરીને દેશમાં વધી રહેલા ફુગાવાને નિયંત્રણમાં લાવવાની પ્રાથમિકતા ઉપરાંત આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તે ઉપરાંત તેમણે સપ્લાય ચેઇનના વૈવિધ્યકરણ પર પણ ભાર મૂક્યો હતો.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન દેશનો આર્થિક વૃદ્વિદર નોંધપાત્ર રહેશે અને સરકારની પ્રાથમિકતા ફુગાવાને અંકુશમાં લાવવાનો છે જે અત્યારે 15 મહિનાના સર્વાધિક સ્તરે છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ 31 ઓગસ્ટના રોજ એપ્રિલ-જૂન ક્વાર્ટરના GDP ડેટા રજૂ કરશે. યુએસ ફેડ રિઝર્વ જેક્સન હોલથી શું કહેશે તેના પર સૌની નજર છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા પોલિસીને લઇને શું જાહેરાત કરવામાં આવશે તેના પર દરેક રોકાણકારોની નજર રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિદર માટે પ્રથમ પ્રાથમિકતા ફુગાવાને નિયંત્રણ હેઠળ લાવવાનું કામ છે કારણ કે સતત વધુ મોંઘવારીથી માંગ નબળી પડશે.

આ બેઝિક ઇકોનોમી છે. તેમાં કંઇક જ નવીન નથી. કેટલાક ચોક્કસ સમય માટે સતત ઊંચા વ્યાજદરો અર્થતંત્રમાં રિકવરીને આડે અવરોધ બની શકે છે. મોંઘવારીને ઘટાડવા માટે માત્ર વ્યાજદરોનો ઉપયોગ વલણમાં પણ કેટલાક અંશે નુકસાન છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow