પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનના એક હિન્દુ સાંસદે તેમના સાથી સાંસદો પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. બલૂચિસ્તાનના નેતા દાનિશ કુમારે સંસદમાં કહ્યું- મને ઈસ્લામનો ઉપદેશ ન આપવામાં આવે. પહેલા ગુનેગાર મુસ્લિમોને ઈસ્લામ શીખવો, પછી મને મારો ધર્મ બદલવા કહો.

દેશમાં વધી રહેલી મોંઘવારી પર દાનિશ સંસદમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- એ નિંદનીય છે કે સરકાર રમઝાન મહિનામાં પણ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી નથી કરતી. દાનિશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો ક્યારનો છે એની માહિતી સામે આવી નથી.

દાનિશ કુમાર પાકિસ્તાની સંસદમાં વધતી મોંઘવારી અંગે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કહે છે - અહીં મારા મિત્રો છે, જે મને કહે છે કે દાનિશ કુમાર, કલમા પઢીને મુસ્લિમ બની જાઓ. હું આ લોકોને કહેવા માગું છું કે પહેલા તમે એવા ગુનેગારોને ઇસ્લામનું પાલન કરવા કહો, જેઓ નફાખોરી કરે છે . પછી દાનિશ કુમાર પર દબાણ કરો. હું ઇચ્છું છું કે મને વચન આપવામાં આવે કે જ્યાં સુધી તે લોકોને ઇસ્લામનું પાલન ન કરાવે ત્યાં સુધી તેઓ મારા પર દબાણ નહીં કરે.

કોણ છે દાનિશ કુમાર?
દાનિશ કુમાર 2018માં બલૂચિસ્તાન અવામી પાર્ટી તરફથી લઘુમતીઓ માટે આરક્ષિત બેઠક પર સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પહેલાં તેઓ બલૂચિસ્તાન વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને લઈને દાનિશે આ પહેલાં પણ ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow