પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનમાં હિન્દુ સાંસદ પર ધર્મ બદલવાનું દબાણ!

પાકિસ્તાનના એક હિન્દુ સાંસદે તેમના સાથી સાંસદો પર ધર્મપરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. બલૂચિસ્તાનના નેતા દાનિશ કુમારે સંસદમાં કહ્યું- મને ઈસ્લામનો ઉપદેશ ન આપવામાં આવે. પહેલા ગુનેગાર મુસ્લિમોને ઈસ્લામ શીખવો, પછી મને મારો ધર્મ બદલવા કહો.

દેશમાં વધી રહેલી મોંઘવારી પર દાનિશ સંસદમાં ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તેમણે કહ્યું- એ નિંદનીય છે કે સરકાર રમઝાન મહિનામાં પણ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી નથી કરતી. દાનિશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જોકે આ વીડિયો ક્યારનો છે એની માહિતી સામે આવી નથી.

દાનિશ કુમાર પાકિસ્તાની સંસદમાં વધતી મોંઘવારી અંગે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કહે છે - અહીં મારા મિત્રો છે, જે મને કહે છે કે દાનિશ કુમાર, કલમા પઢીને મુસ્લિમ બની જાઓ. હું આ લોકોને કહેવા માગું છું કે પહેલા તમે એવા ગુનેગારોને ઇસ્લામનું પાલન કરવા કહો, જેઓ નફાખોરી કરે છે . પછી દાનિશ કુમાર પર દબાણ કરો. હું ઇચ્છું છું કે મને વચન આપવામાં આવે કે જ્યાં સુધી તે લોકોને ઇસ્લામનું પાલન ન કરાવે ત્યાં સુધી તેઓ મારા પર દબાણ નહીં કરે.

કોણ છે દાનિશ કુમાર?
દાનિશ કુમાર 2018માં બલૂચિસ્તાન અવામી પાર્ટી તરફથી લઘુમતીઓ માટે આરક્ષિત બેઠક પર સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પહેલાં તેઓ બલૂચિસ્તાન વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને લઈને દાનિશે આ પહેલાં પણ ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે.

Read more

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો છે

સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા

By Gujaratnow
સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

સીરિયાના ઇદલિબ શહેરમાં દારૂગોળાના ડેપોમાં વિસ્ફોટ

ગુરુવારે ઉત્તરપશ્ચિમ સીરિયાના શહેર ઇદલિબમાં એક દારૂગોળાના ડેપોમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકો માર્યા ગયા અને 71 લોકો ઘાયલ થયા. પીડિતોની ગણતરી

By Gujaratnow