Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
National

ભારતીય કોર્પોરેટ કંપનીઓની વધુ ગેરરીતિઓના પર્દાફાશની તૈયારી

Gujaratnow1 min read
ભારતીય કોર્પોરેટ કંપનીઓની વધુ ગેરરીતિઓના પર્દાફાશની તૈયારી

અદાણી ગ્રૂપ વિશે હિન્ડેનબર્ગ રિપોર્ટ્સના મહિનાઓ બાદ અમેરિકી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરેસ અને રોકફેલર બ્રધર્સની આર્થિક સહાયથી ચાલતા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ભારતની ચોક્કસ કોર્પોરેટ કંપનીઓની કથિત ગેરરીતિઓના પર્દાફાશની તૈયારી કરી રહ્યા છે.

ઓસીસીઆરપી પોતાને 24 નૉનપ્રોફિટ ઇન્વેસ્ટીગેવ સેન્ટરનું સમૂહ ગણાવે છે. આ સમૂહમાં યુરોપ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકન દેશોના પત્રકારોનો સમાવેશ થાય છે. સમૂહે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ભારતીય કંપનીઓ અંગે શ્રેણીબદ્ધ આર્ટીકલ્સ જાહેર કરશે.

આ અંગે વધુ માહિતી માટે સમૂહને મોકલવામાં આવેલા ઇમેલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. ઓસીસીઆરપીની સ્થાપના વર્ષ 2006માં થઈ હતી. આ સમૂહ સંગઠીત અપરાધ અંગે સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરે છે. સમૂહ વિવિધ મીડિયા સમૂહો સાથે ભાગીદારી કરીને આ લેખો પ્રસિદ્ધ કરે છે.

Gujaratnow1 min read

Related News