નલિયાથી જખૌ બંદર, વાયોર માટે જમીનનો પ્રાથમિક સરવે

નલિયાથી જખૌ બંદર, વાયોર માટે જમીનનો પ્રાથમિક સરવે

દેશલપરથી નલિયા વચ્ચે રેલવેનું બ્રોડગેજ લાઈનનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી જખાૈ અને વાયોર તરફ સેવા વિસ્તારવા માટે જમીનનો સરવે હાથ ધરાયો છે ત્યારે 3 દાયકા બાદ અબડાસામાં રેલવેનું સપનું સાકાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને જોડતો રેલમાર્ગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભુજથી દેશલપર સુધી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર રેલગાડી દોડાવીને ટેસ્ટિંગ સહિતની કામગીરી પૂર્ણ કરાઇ છે. દેશલપરથી નલિયા સુધીનું 75 કિ.મી. વિસ્તારમાં જમીન લેવલ, ટ્રેક, રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ સહિતની કામગીરી રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટ્રેકની આજુબાજુ કાંકરી, રેતી, સાધન-સામગ્રી ગોઠવી દેવાઇ છે. દેશલપરથી નલિયા સુધીનું કામ માર્ચ 2024 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે અને તે લક્ષ્યાંક મુજબ કામ પૂરું કરવા ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow