પ્રતાપ ચંદ્ર CRO અને તબલેશ પાંડે નવા MD બન્યા

પ્રતાપ ચંદ્ર CRO અને તબલેશ પાંડે નવા MD બન્યા

ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ રત્નાકર પટનાયકને તેના નવા ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર(CIO) તરીકે નિયુક્ત કર્યા છે. રત્નાકર પટનાયકે 10 એપ્રિલથી CIO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પીઆર મિશ્રાની જગ્યાએ રત્નાકર પટનાયકને આ પદ આપવામાં આવ્યું છે. LICએ આ માહિતી જણાવી હતી.

પટનાયક 1990થી LICમાં કામ કરી રહ્યા છે.
રત્નાકર પટનાયકને ઈન્ડસ્ટ્રીમાં 32 વર્ષનો અનુભવ છે. તેઓ સપ્ટેમ્બર 1990માં ડાયરેક્ટ રિક્રુટ ઓફિસર તરીકે LICમાં જોડાયા હતા. પટનાયકે અત્યાર સુધીમાં ચાર ઝોનમાં કામ કર્યું છે, જેમાંથી મોટા ભાગના તેમણે માર્કેટિંગ અસાઇનમેન્ટ સંભાળ્યા હતા.

રત્નાકર પટનાયક સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે ઈન્દોર અને જમશેદપુર ડિવિઝનના વડા હતા. આ સિવાય પટનાયકે ત્રણ વર્ષ પૂર્વી ઝોનમાં રિજનલ મેનેજર તરીકે પણ કામ કર્યું છે. આ પછી, પટનાયકે એલઆઈસીની સેન્ટ્રલ ઓફિસમાં ઈન્વેસ્ટમેન્ટ-ફ્રન્ટ ઓફિસના ચીફનું પદ સંભાળ્યું હતું. રત્નાકર પટનાયક ઈન્સ્યોરન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ફેલો રહી ચૂક્યા છે.

પ્રતાપ ચંદ્ર CRO અને તબલેશ પાંડે નવા MD બન્યા
LIC એ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે પીઆર મિશ્રાને ટ્રાન્સફર કરીને અન્ય અસાઇનમેન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે, કંપનીએ પ્રતાપ ચંદ્ર પેકરાઈને તેના નવા મુખ્ય રિસ્ક ઓફિસર (CRO) બનાવ્યા છે. તબલેશ પાંડેના સ્થાને તેમને આ પદ સોંપવામાં આવ્યું છે. તબલેશ પાંડેને 1 એપ્રિલના રોજ કોર્પોરેશન દ્વારા મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow