જન્માષ્ટમીએ રજાના દિવસોમાં પણ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખુલ્લું રહેશે

જન્માષ્ટમીએ રજાના દિવસોમાં પણ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખુલ્લું રહેશે

મહાનગરપાલિકા સંચાલિત ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું લોકપ્રિય સ્થળ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવે છે. જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત 750000 મુલાકાતીઓ આવે છે. નિયમિત રીતે ઝૂ દર શુક્રવારે બંધ રાખવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓને રજામાં ફરવા માટે સ્થળ મળી રહે તે માટે 8મીએ શુક્રવારે પણ ઝૂ ખુલ્લું રાખવા માટે મનપાએ નિર્ણય લીધો છે. જ્યારે રામવન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ પણ રજા પાળ્યા વગર ખુલ્લા રહેશે.

તહેવારોમાં મુલાકાતીઓની સંખ્યા ધ્યાનમાં રાખીને પ્રાણીસંગ્રહાલય ખાતે મુલાકાતીઓને લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધારાના ટિકિટ કાઉન્ટર પણ ઊભા કરવામાં આવેલ છે. વાહન પાર્કિંગમાં અવગડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓના કુલ 550 વન્યપ્રાણી-પક્ષીઓ છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow