એગ્રીમાં લણણી બાદનું નુકસાન 10થી 25 ટકા, ટેક્નોલોજીનો ઝડપી વ્યાપ વધે તે જરૂરી

એગ્રીમાં લણણી બાદનું નુકસાન 10થી 25 ટકા, ટેક્નોલોજીનો ઝડપી વ્યાપ વધે તે જરૂરી

એગ્રીકલ્ચર વેલ્યુ ચેઇનમાં લણણી બાદ થતું નુકશાન એગ્રીકલ્ચર ઇકોસિસ્ટમના અભાવના કારણે ચિંતાનું પ્રમુખ કારણ છે. તાપમાનની અયોગ્ય જાળવણી, નબળું સંચાલન, નબળા પેકેજિંગ, ગુણવત્તા નિયંત્રણ વગેરે જેવાં પરિબળો લણણી બાદ નુકશાન માટે કારણભૂત છે, જે આખરે સ્ટોરેજ અને લોજીસ્ટિક્સના અંતે પૂર્ણ થાય છે.

કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો ખેડૂતોની આવકમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ નોંધપાત્ર પગલાં ભરી રહી છે ત્યારે લણણી બાદ નુકશાન ઘટાડવું મહત્વપૂર્ણ પરિબળો પૈકીનું એક રહ્યું છે. સમગ્ર એગ્રીકલ્ચર વેલ્યુ ચેઇનની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં સર્વિસ પ્રોવાઇડર અથવા ટેક્નોલોજી પ્રોવાઇડર તરીકે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને અવગણી શકાય નહીં કે જ્યારે ભારત જેવાં દેશમાં લણણી બાદનું નુકશાન 10થી25 ટકા વચ્ચે હોવાનો અંદાજ છે.

નવી દિલ્હી સ્થિત એસએલસીએમ ગ્રૂપ ખાનગી ક્ષેત્રની સંસ્થા છે કે જેણે માળખા, પાક અથવા ભૌગોલિક સ્થળને ધ્યાનમાં લીધા વગર લણણી બાદનું નુકશાનને ઘટાડીને લઘુત્તમ 0.5 ટકા ટકા કરવામાં ફાળો આપતાં ટેક્નોલોજીથી સક્ષમ માલીકીની અને પેટન્ટેડ ટેક્નોલોજી એપ્લીકેશન તૈયાર કરાઇ છે.

કૃષિક્ષેત્રે ટેક્નોલોજીના ઝડપી પ્રવેશ વિશે એસએલસીએમના ગ્રૂપ સીઇઓ સંદીપ સભરવાલે જણાવ્યું કે એક દાયકા પહેલાં વેરહાઉસ મેનેજમેન્ટના ફિઝિટાઇઝેશનનું વિઝન હતું. આ સિસ્ટમ માળખા, ભુગોળ અને પાક માટે કાર્યક્ષમ વેરહાઉસિંગ સોલ્યુશન્સ સક્ષમ બનાવે છે.

સોલ્યુશન એગ્રી રિચ કૃષિ પેદાશો માટે ક્વોલિટી ચેક મોબાઇલ એપ છે, જે પાકના રિયલ-ટાઇમ મોનિટરિંગ અને મેનેજમેન્ટમાં ઉપયોગી છે. અંતર્ગત ઓડિટ રિસિપ્ટ્સ, ક્વોલિટી કંટ્રોલ અને સર્વેલન્સ જેવી વિવિધ સેવાઓ મળી રહે છે. પાકના સ્વાસ્થ્યને જાળવવામાં તથા વિવિધ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ, ઓડિટ-ક્વોલિટી અને ફિઝિકલ પાસાઓ બંન્નેને આધારે મહત્તમ ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે.

ક્વોલિટી ચેક ટેક્નો. ખેડૂતો માટે આશીર્વાદ રૂપ
માર્ચ 2022માં કંપનીએ ભારત સરકારની પેટન્ટ ઓફિસ પાસેથી પેટન્ટ સર્ટિફિકેટ મળ્યાંની જાહેરાત કરી હતી. કંપનીએ એગ્રી-લોજીસ્ટિક્સ સેગમેન્ટમાં ડિસેમ્બર 2013 દરમિયાન ફાઇલ કરેલી ટેક્નોલોજી પેટન્ટ પ્રાપ્ત કરી છે. ક્વોલિટી ચેક મોબાઇલ એપ ઘઉં, ગવાર, સોયા, ચણા, ચોખા અને મકાઇ વગેરેને આવરી લે છે. તેનાથી ખેડૂતો એગ્રી ટ્રેડર્સ કોઇપણ ઉપકરણ અથવા લેબ ટેસ્ટ વગર કોમોડિટીના સેમ્પલનું મૂલ્યાંકન મેળવી શકશે. ગુજરાતના 20 જિલ્લાઓમાં 100થી વધુ સ્થળો ઉપર ઉપયોગમાં લેવાય છે. તે 60 કોમોડિટીઝના લગભગ 28,318 તપાસને આરી લે છે તથા 17 રાજ્યોમાં 976 ક્લાયન્ટ્સને ઉપયોગી બની છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow