દેશમાં જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોઝિટિવ હાયરિંગ ટ્રેન્ડ: સરવે

દેશમાં જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પોઝિટિવ હાયરિંગ ટ્રેન્ડ: સરવે

આ વર્ષે જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય શ્રમ બજાર પોઝિટિવ સેન્ટિમેન્ટના સંકેત આપી રહ્યું છે અને દેશની આઇટી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ભરતીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતા સરવેમાં વ્યક્ત કરવામાં આવી છે. દેશના 3,020 નોકરીદાતાઓને આવરી લઇને કરાયેલા મેનપાવર ગ્રૂપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સરવે અનુસાર વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં છટણી અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની આશંકા વચ્ચે પણ શ્રમ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટના સંકેત મળી રહ્યાં છે.

સરવેમાં સામેલ 49 ટકા નોકરીદાતાઓએ કર્મચારીઓની ભરતી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો જ્યારે 13 ટકા કંપનીઓની ભરતી કરવાની કોઇ યોજના નથી. જેને કારણે રોજગારી માટેનો આઉટલુક 36 ટકાની આસપાસ છે. ગત વર્ષની તુલનાએ હાયરિંગ સેન્ટિમેન્ટમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ગત ક્વાર્ટરની તુલનાએ તેમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

વૈશ્વિક સ્તરે 41 દેશોમાં નોકરીદાતાઓએ સકારાત્મક રોજગાર આઉટલુક રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જેમાં 43% રોજગાર આઉટલુક સાથે કોસ્ટા રિકા ટોચ પર છે, ત્યારબાદ તેમાં નેધરલેન્ડ (39 ટકા), પેરુ (38 ટકા)નો સમાવેશ થાય છે. વૈશ્વિક યાદીમાં ઓસ્ટ્રેલિયા બાદ 36 ટકા સાથે ભારત પાંચમાં ક્રમાંકે છે. ત્યારબાદ યાદીમાં જાપાન (14 ટકા) અને તાઇવાન (15 ટકા) સામલે છે. સરવે અનુસાર 84 ટકા ભારતીય નોકરીદાતાઓ ગ્રીન જોબ્સ કે ગ્રીન સ્કિલ્સની જરૂરિયાત વાળી ભૂમિકા માટે ભરતી કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ માટે ભારત એક મહત્વપૂર્ણ આઇટી ટેલેન્ટ હબ બનીને ઉભરી રહ્યું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow