નક્સલોના ડરથી પોલિંગ બૂથ 100 કિ.મી. દૂર, ત્યાં જાત તો મોત નક્કી હતું : ચૂંટણી અધિકારી

નક્સલોના ડરથી પોલિંગ બૂથ 100 કિ.મી. દૂર, ત્યાં જાત તો મોત નક્કી હતું : ચૂંટણી અધિકારી

છત્તીસગઢમાં નક્સલવાદ ઘટાડવાના દાવા વચ્ચે બસ્તરના વિસ્તારોમાં આજે પણ સ્થિતિ બહુ સારી નથી. હવે સ્થિતિ એ છે કે લોકતંત્રમાં વિશ્વાસ રાખનારા લોકો મતદાન કરવા ઈચ્છે તોપણ નહીં કરી શકે. કારણ છે- મતદાન કરાવનારા સરકારી કર્મીઓને નક્સલોથી લાગતો ડર.

હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે બિજાપુર જિલ્લામાં લોકોએ મત આપવા 100 કિ.મી. દૂર જવું પડશે. આ જિલ્લામાં ચેરપલ્લી, સેન્ડ્રા, પલસેગુંડી, ઈરપાગુટ્ટા અને એડાપલ્લી જેવા અનેક પોલિંગ બૂથને સુરક્ષાના કારણસર ભોપાલપટનમ ખસેડી દેવાયા છે. અહીં ચૂંટણી અધિકારીઓ મતદાન તો કરાવી દેશે પણ જે મતદારોનું નામ નોંધાયેલું છે, તેઓ ત્યાં પહોંચશે કેવી રીતે તેનો જવાબ કોઈ પાસે નથી. આ વિસ્તારોમાં નક્સલોએ લોકોને મતદાનનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. અહીં આશરે પાંચ હજાર મતદારો છે.

બિજાપુરના ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજેન્દ્ર કટારા કહે છે કે અહીં જંગલમાં 60 કિ.મી. સુધી સુરક્ષાદળો જઈ નથી શકતા તો વ્યવસ્થા કેવી રીતે થાય? અમારી ટીમ ત્યાં જતા જતા જ ખતમ થઈ શકે છે. એક પણ જવાન શહીદ થઈ જશે તો આખી મતદાન પ્રક્રિયા નકારાત્મક થઈ જશે.

ચૂંટણી ટીમ હેલિકોપ્ટરમાં જશે પણ મતદારો માટે વાહનોની વ્યવસ્થા નથી
નારાયણપુર જિલ્લામાં મત આપવા 90 કિ.મી.નું પગપાળા અંતર કાપવું પડે. અહીં પાલબેડા પાલેમેટા પોલિંગ બૂથને સોનપુરની એક સ્કૂલમાં ખસેડાયું છે, જે 45 કિ.મી. દૂર છે. એવી જ રીતે, ગટ્ટાકાલના લોકોએ 40 કિ.મી. દૂર ઓરછાની સ્કૂલમાં મત આપવા જવું પડશે. પાંગુડ અને કોંગેના બૂથ નાના બેઠિયા ખસેડાયા છે. અહીં લોકોએ 22-27 કિ.મી. ચાલીને આવવું પડશે. નારાયણપુર કલેક્ટર અજિત વસંત કહે છે કે અંતરિયાળ વિસ્તારોમાં પોલિંગ બૂથ નથી બનાવાયાં. તમામને રસ્તાના કિનારે ખસેડી દેવાયાં છે. બીજી તરફ, રાજ્યના 148 બૂથ પર ચૂંટણીપંચની ટીમો હેલિકોપ્ટરમાં જશે જ્યારે ગ્રામીણો માટે વાહન સુદ્ધાં નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow