રેલનગર, સાંઇબાબા સોસાયટી-1માં પોલીસનો દરોડો

રેલનગર, સાંઇબાબા સોસાયટી-1માં પોલીસનો દરોડો

રેલનગર મેઇન રોડ, સાંઇબાબા સોસાયટી-1માં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ મસીપ્રિય ક્રિશ્ચિયન નામના પ્રૌઢે તેના ઘરે મિત્રોને બોલાવી દારૂની મહેફિલ યોજી હોવાની પ્રદ્યુમ્નનગર પોલીસને માહિતી મળી હતી. પોલીસે રવિવારે રાતે દરોડો પાડી વિદેશી દારૂની મહેફિલ માણતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રવીણ ભટ્ટી, નરેન ઉર્ફે લાલો અરૂણ ભટ્ટી, રવિ ચંદ્રકાંત ભટ્ટી, મનહર નીતિન ચૌહાણને દારૂનો નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા. દારૂની મહેફિલમાંથી વિદેશી દારૂની થોડી ભરેલી બોટલ તેમજ વેફર, વટાણા સહિતનો નાસ્તો મળી આવ્યો હતો.

પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી પાંચેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે નવા થોરાળામાં આવેલા વિનોદનગર-1માં રહેતા વિનય મોહન બથવાર નામના શખ્સને તેના ઘર નજીકથી વિદેશી દારૂના 80 ચપલા સાથે થોરાળા પોલીસે ઝડપી લીધો હતો. તેમજ મોરબી બાયપાસ રિંગ રોડ પરથી પોલીસે આઇસર ટ્રકને અટકાવી હતી.

આઇસરની તલાશી દરમિયાન અંદરથી વિદેશી દારૂની કુલ 59 બોટલ મળી આવી હતી. ચાલકની પૂછપરછ કરતા તે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ પર રહેતો મનસુખ ઉર્ફે મુન્નો કાનજી કંબોડિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાદરાનગર અને હવેલીનો વિદેશી દારૂ મનસુખ ક્યાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow