ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી હતી અને શનિવારે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને લઈ ગીર-સોમનાથ એસપી શ્રીપાલ શેષ્મા, જૂનાગઢ એસપી રવિ તેજા, જિલ્લા, તાલુકાની પોલીસ પહોંચી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી
તેમજ આખી રાત કોમ્બિંગ કરી 76 શખ્સની અટક કરાઈ હતી અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન 100થી વધુ ઘાતક હથિયારો, 100 સોડાબોટલ મળી હતી, અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઈ હતી અને બીજીતરફ 76થી વધુ શખ્સ સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉનામાં બે દિવસથી વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે અને પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. શહેરીજનોમાં પણ ડરનો માહોલ છે ત્યારે શાંતિ ક્યારે સ્થપાશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત દુકાનો પણ વેપારીઓએ ખોલી ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow