Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Una

ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

Gujaratnow1 min read
ઉનામાં પથ્થરમારા બાદ પોલીસનું કોમ્બિંગ, હથિયારો કબજે

ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી હતી અને શનિવારે રાત્રે કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતા 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને લઈ ગીર-સોમનાથ એસપી શ્રીપાલ શેષ્મા, જૂનાગઢ એસપી રવિ તેજા, જિલ્લા, તાલુકાની પોલીસ પહોંચી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ભડકાઉ ભાષણ બાદ તંગદિલી જોવા મળી
તેમજ આખી રાત કોમ્બિંગ કરી 76 શખ્સની અટક કરાઈ હતી અને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ દરમિયાન 100થી વધુ ઘાતક હથિયારો, 100 સોડાબોટલ મળી હતી, અને પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ ભડકાઉ ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધાઈ હતી અને બીજીતરફ 76થી વધુ શખ્સ સામે રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો હતો.

ઉનામાં બે દિવસથી વાતાવરણ તંગ જોવા મળી રહ્યું છે અને પોલીસ સબસલામતના દાવા કરી રહી છે. શહેરીજનોમાં પણ ડરનો માહોલ છે ત્યારે શાંતિ ક્યારે સ્થપાશે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ઉપરાંત દુકાનો પણ વેપારીઓએ ખોલી ન હતી. બપોરે વેરાવળ મુસ્લિમ સમાજના આગેવાનો પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Gujaratnow1 min read

Related News