પંડ્યાની વાપસીથી ટીમ સંતુલિત થશે; કાલે સાઉથ આફ્રિકા સામે પ્રથમ T-20

પંડ્યાની વાપસીથી ટીમ સંતુલિત થશે; કાલે સાઉથ આફ્રિકા સામે પ્રથમ T-20

ભારતના T-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું કહેવું છે કે હાર્દિક પંડ્યાની વાપસીથી ટીમને ફરીથી તે સંતુલન મળી ગયું છે જેની કમી અનુભવાઈ રહી હતી. હાર્દિક નવા બોલથી બોલિંગ કરે છે, જેનાથી ટીમ ઘણા પ્રકારના પ્લેઇંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતારી શકે છે.

હાર્દિક ઈજાને કારણે એશિયા કપની ફાઇનલ રમી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે ફિટ છે અને શાનદાર લયમાં પાછા ફર્યા છે. તેમની હાજરીથી ભારત ત્રણ કે ચાર સ્પિનરો સાથે પણ સરળતાથી રમી શકે છે.

સૂર્યકુમારે સ્વીકાર્યું કે ICC ટુર્નામેન્ટની મોટી મેચોમાં હાર્દિકનો અનુભવ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેપ્ટને એમ પણ જણાવ્યું કે શુભમન ગિલ હવે સંપૂર્ણપણે ફિટ છે અને પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે. સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મુકાબલો મંગળવારે કટકમાં રમાશે.

કેપ્ટન સૂર્યકુમારે જણાવ્યું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વાઇસ-કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે.

એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કર્યા બાદ તેની વાપસી થઈ છે. સૂર્યાએ કહ્યું કે, જ્યારે હાર્દિક નવી બોલથી બોલિંગ કરે છે, ત્યારે અમને પ્લેઈંગ ઈલેવનમાં 3થી 4 સ્પિનરોને રમાડવાની છૂટ મળે છે.
ગરદનમાં જકડાઈ જવાને કારણે ગિલ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ અને વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow