પંચનાથ પ્લોટ ચોરીમાં ઘરઘાટી જ ચોર નીકળ્યો, મંકી કેપ પહેરી 9 ફૂટની દિવાલ કૂદી ચોરીને અંજામ આપ્યો

પંચનાથ પ્લોટ ચોરીમાં ઘરઘાટી જ ચોર નીકળ્યો, મંકી કેપ પહેરી 9 ફૂટની દિવાલ કૂદી ચોરીને અંજામ આપ્યો

રાજકોટમાં થયેલી રૂ.67.36 લાખની ચોરીની ઘટનાનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે પરંતુ, અહીં મહત્વની વાત એ સામે આવી છે કે ચોરોએ પોતે પકડાઈ ન જાય તે માટે સાવરીયા શેઠને રૂ. 20,000 ધર્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના પંચનાથ પ્લોટમાં એપેક્ષ એડવાર્ટાઈઝીંગ નામે વ્યવસાય કરતા જલાધીભાઈ અજીતભાઈ ઝવેરીના મકાનમાંથી રૂ.67.36 લાખની કિંમતના દાગીના અને રોકડની ચોરી થઈ ગઈ હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી CCTVમાં કેદ 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

ચોરીનો મુદ્દામાલ કબજે થઈ જતા કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા જેમાં અગાઉ સાડા ચાર વર્ષ ઘરઘાટી તરીકે કામ કરી ચૂકેલા ગોપાલ મીણા સહિત ત્રણ શખસોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય શખસો રાજસ્થાનના ડુંગરપુર ભાગી ગયા હતા. જોકે, પોલીસે તેઓને ત્યાંથી ઝડપી પાડ્યા હતા. ત્રણેય શખસોના પોલીસે કોર્ટમાં આજે રિમાન્ડ માંગ્યા ગયા હતા પરંતુ, ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે થઈ જતા કોર્ટે એક પણ દિવસના રિમાન્ડ આપ્યા નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચનાથ પ્લોટમાં જલાધીભાઈ ઉપરાંત તેના પત્ની સહિતનો પરિવાર રહે છે. જ્યારે નીચેના માળે તેના દાદાનો રૂમ હોય ત્યા લાકડાના કબાટમાં સોના, ચાંદીના દાગીના અને રોકડ રકમ રાખી હતી. કબાટની ચાવી દાદા તુષારભાઈના કોટમાં રાખતા હતા. તા.15મી ઓગસ્ટના ધંધાની રકમ રૂ.10.50 લાખની રોકડ કબાટમાં રાખી હતી અને ચાવી તેના કોટમાં રાખી હતી. બાદમાં તા.4 સપ્ટેમ્બરના રોજ તુષારભાઈને પૈસાની જરૂર પડતા કબાટની ચાવી મળી નહોતી. જેથી, બહારથી માણસો બોલાવી કબાટ ખોલી તિજોરી તોડતા રોકડ અને દાગીના ગાયબ હોવાથી પરિવારે શોધખોળ કર્યા બાદ જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બોરીસાગર સહિતની ટીમે પહોંચી તપાસ કરી હતી.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow