પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પીઢ એક્ટર, નિર્માતા અને ડિરેક્ટર ધીરજ કુમારનું 15 જુલાઈના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ન્યુમોનિયાથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે સવારે તેમના પાર્થિવ શરીરને હોસ્પિટલથી અંધેરી વેસ્ટ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યું હતું, જ્યાં રઝા મુરાદ, અસિત મોદી, અશોક પંડિત, ટીના ઘાઈ, દીપક કાઝીર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે અંતિમ દર્શન કર્યા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતા આસિત મોદી પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધીરજ કુમારના નિધનને મોટું નુકસાન ગણાવ્યું. નિર્માતાએ કહ્યું કે- ધીરજ કુમારના નિધનથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. હું ખૂબ જ આઘાતમાં છું કારણ કે હું તેમને એક અઠવાડિયા પહેલા જ મળ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow