પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

ફેમસ વેબ સિરીઝ 'પંચાયત'માં 'દામાદ જી'ની ભૂમિકા ભજવનારા એક્ટર આસિફ ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરને સોમવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સદનસીબે, તેમની હાલત હવે સ્થિર થઈ રહી છે અને ટૂંક સમયમાં રજા આપવામાં આવી શકે છે.

આસિફની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આસિફની તબિયત સ્થિર થયા બાદ તેમણે તેમના ફેન્સ માટે એક પોસ્ટમાં શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે- "છેલ્લા 36 કલાકમાં સમજાયું કે જીવન કેટલું નાનું છે, એક ક્ષણમાં કંઈપણ બદલાઈ શકે છે. દરેક દિવસ માટે આભારી બનો અને હંમેશા તમારા પ્રિયજનોની કદર કરો. જીવન એક બેસ્ટ ગિફ્ટ છે."

આસિફે બીજી એક પોસ્ટ પણ કરી છે અને તે દિવસ વિશે જણાવ્યું છે જ્યારે તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે લખ્યું કે- "મને થોડા કલાકોથી તકલીફ થઈ રહી હતી, જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી. હવે હું સ્વસ્થ થઈ રહ્યો છું અને સારું અનુભવી રહ્યો છું." આસિફે તેના બધા ફેન્સના પ્રેમ બદલ આભાર માન્યો. અંતે લખ્યું કે, "હું ટૂંક સમયમાં પાછો આવીશ. ત્યાં સુધી, મને તમારા વિચારોમાં રાખવા બદલ આભાર." આસિફે તેની પોસ્ટમાં જણાવ્યું નથી કે તેને શું થયું, તેને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો, પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Read more

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૮ કિ.મી.થી વધુના માર્ગો મોટરેબલ કરાયા

રાજકોટ, તા. ૧૫ જુલાઈ - રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર ભારે વરસાદના કારણે પડેલા ખાડા

By Gujaratnow
એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

એઈમ્સમાં ફરજ બજાવતા ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા

રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પૂર્વ ઉપકુલપતિ વિજય દેસાણીના પુત્ર ડો. જીગર દેસાણી નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. આજે વહે

By Gujaratnow
રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow