મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.આ દરમિયાન હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાથી વાંકેફ કરવામાં માટે ફોટો થકી માહિતીનો પ્રયાસ કરી સમીક્ષા કરશે. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે વડાપ્રધાને મુલાકાત કરશે અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠશે. આ સાથે જ મોરબીમાં ત્રણ કલાક રોકાશે.વધુમાં મોરબી SP ઓફિસે મહત્વની બેઠકનું પણ આયોજન કરશે.