PM મોદીએ મણિપુરને આતંક, બંધથી મુક્તિ અપાવી : શાહ

PM મોદીએ મણિપુરને આતંક, બંધથી મુક્તિ અપાવી : શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પૂર્વોત્તરના રાજ્યોની મુલાકાત લીધી. તેમણે મણિપુરમાં મોઈરાંગમાં 1308 કરોડ રૂ.ના 21 પ્રોજેક્ટનું ઉદઘાટન-શિલાન્યાસ કર્યા. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદી અને મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહના નેતૃત્વમાં આજે મણિપુર આતંકવાદ, બંધ અને બ્લૉકેડથી સંપૂર્ણપણે મુક્ત થઈ વિકાસ, શાંતિ અને ખુશહાલીના માર્ગે આગળ વધી રહ્યું છે.

પીએમએ લુક ઈસ્ટની જગ્યાએ એક્ટ ઈસ્ટની નીતિ અપનાવી એક સમૃદ્ધ નોર્થ-ઈસ્ટ બનાવવાનું કામ કર્યું. ગૃહમંત્રીએ મોઈરાંગ સ્થિત આઝાદ હિંદ ફૌજના હેડક્વાર્ટર પર 165 ફૂટ ઊંચા તિરંગાનું અનાવરણ કર્યું હતું. આ પૂર્વોત્તરમાં સૌથી ઊંચો તિરંગો હતો.

પૂર્વોત્તરને રેલવે અને હવાઈ માર્ગ સાથે જોડવાની સાથે સંપૂર્ણ દેશના હૃદય સાથે જોડ્યું છે. શાહ નાગાલેન્ડના દીમાપુર પણ ગયા હતા. અહીં તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં 2014થી 2021 વચ્ચે ઉગ્રવાદમાં 74 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow