PM મોદીએ ઝેલેન્સ્કીને ફોન કર્યો

PM મોદીએ ઝેલેન્સ્કીને ફોન કર્યો

યૂક્રેન-રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે જલદી આ દુશ્મનીનો અંત લાવવાની વાત કહી.

ફોન પર વાત કરતા દરમિયાન બન્ને નેતાઓએ યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કીને કહ્યું કે, કોઇપણ સંઘર્ષનું સમાધાન સેના ન હોઇ શકે. સાથે જ કહ્યું કે દુશ્મનીને સમાપ્ત કરી વાતચીતના આધારે સમાધાનના માર્ગે આગળ વધો.

પ્રધાનમંત્રી મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન ભાર આપતાં કહ્યું કે, ભારત યૂક્રેન સહિત અન્ય તમામ પરમાણુ જગ્યાઓને સુરક્ષાને મહત્વ આપે છે. તેમણે પરમાણુના ખતરા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. સાથે જ કહ્યું કે, આ સાર્વજનિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક અને વિનાશકારી પરિણામ હોઈ શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, શાંતિથી તમામ સંભવ પ્રયાસમાં યોગદાન માટે ભારત તમામ રીતે તત્પર છે. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવાના મહત્વની વાત પણ ફરીવાર કરી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow