PM જીવન જ્યોતિ વીમા યોજના

PM જીવન જ્યોતિ વીમા યોજના

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નામથી વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીના કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિનું બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો વીમાધારક વ્યક્તિના નોમિની અથવા પરિવારને વીમા તરીકે 2 લાખ રૂપિયા મળશે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.

આ એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે
PMJJBY ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં લાભ પોલિસીધારકના મૃત્યુ પછી જ મળે છે. જો પોલિસીધારક મુદત પૂરી થયા પછી સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી. 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે
PMJJBYનો લાભ લેવા માટે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમની આ રકમ 25 મેથી 31 મે દરમિયાન ખાતામાંથી આપમેળે કપાઈ જશે. આ માટે અરજદારે પોતાની સંમતિ આપવી પડશે.

કવરનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધી
કવર પિરિયડ 1 જૂનથી 31 મે સુધીનો હોય છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી જે પણ તારીખે ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષની 31મી મે સુધી જ રહેશે. આમાં સ્કીમમાં નોંધણીના 45 દિવસ પછી રિસ્ક કવર ઉપલબ્ધ છે.

બેંક ખાતું હોવું જરૂરી
PMJJBYનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. આ બેંક એકાઉન્ટ સરકારી અથવા ખાનગી બેંકમાં હોઈ શકે છે. આ પછી અરજદારે PMJJBYનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે.

કેવી રીતે મળે છે ઇન્શ્યોરેન્સ ક્લેમ ?
નોમિનીએ વીમા કંપની અથવા બેંકમાં ક્લેમ કરવો પડશે જ્યાં વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. ડિસ્ચાર્જની રસીદની સાથે અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow