PM જીવન જ્યોતિ વીમા યોજના

PM જીવન જ્યોતિ વીમા યોજના

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નામથી વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીના કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિનું બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો વીમાધારક વ્યક્તિના નોમિની અથવા પરિવારને વીમા તરીકે 2 લાખ રૂપિયા મળશે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.

આ એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે
PMJJBY ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં લાભ પોલિસીધારકના મૃત્યુ પછી જ મળે છે. જો પોલિસીધારક મુદત પૂરી થયા પછી સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી. 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે
PMJJBYનો લાભ લેવા માટે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમની આ રકમ 25 મેથી 31 મે દરમિયાન ખાતામાંથી આપમેળે કપાઈ જશે. આ માટે અરજદારે પોતાની સંમતિ આપવી પડશે.

કવરનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધી
કવર પિરિયડ 1 જૂનથી 31 મે સુધીનો હોય છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી જે પણ તારીખે ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષની 31મી મે સુધી જ રહેશે. આમાં સ્કીમમાં નોંધણીના 45 દિવસ પછી રિસ્ક કવર ઉપલબ્ધ છે.

બેંક ખાતું હોવું જરૂરી
PMJJBYનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. આ બેંક એકાઉન્ટ સરકારી અથવા ખાનગી બેંકમાં હોઈ શકે છે. આ પછી અરજદારે PMJJBYનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે.

કેવી રીતે મળે છે ઇન્શ્યોરેન્સ ક્લેમ ?
નોમિનીએ વીમા કંપની અથવા બેંકમાં ક્લેમ કરવો પડશે જ્યાં વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. ડિસ્ચાર્જની રસીદની સાથે અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow