'PM CARES ભારત સરકારનું ફંડ નથી', PMOએ હાઈકોર્ટમાં ટ્રસ્ટને લઈને કર્યો મોટો ખુલાસો

'PM CARES ભારત સરકારનું ફંડ નથી', PMOએ હાઈકોર્ટમાં ટ્રસ્ટને લઈને કર્યો મોટો ખુલાસો

પ્રધાનમંત્રી કાર્યાલયએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે PM CARES ભારત સરકારનું ફંડ નથી અને તેને પબ્લિક ઓથોરિટી માની શકાય નહીં. પીએમઓનાં સચિવે કહ્યું કે PM CARES ફંડને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનાં રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ ભારતનાં બંધારણ, સંસદ કે કોઈ રાજ્યનાં વિધાનમંડળનાં કાયદાની અંતર્ગત નથી બનાવવામાં આવ્યું.

PMOએ સમ્યક ગંગવાલની અરજીનો કર્યો વિરોધ
પીએમઓએ સમ્યક ગંગવાલની તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકાનો વિરોધ કર્યો છે. તેમણે અરજી દાખલ કરી હતી કે 'ભારતનાં બંધારણનાં અનુચ્છેદ 12ની અંતર્ગત પીએમ કેયર્સ ફંડને સરકારી ફંડ ઘોષિક કરવામાં આવે.' PMOએ સ્પષ્ટ કર્યું કે ટ્રસ્ટનાં કામકાજ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે કેન્દ્ર સરકાર કે કોઈપણ રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ નથી. પીએમઓએ આગળ જણાવ્યું કે પીએણ કેર ફંડ માત્ર વ્યક્તિઓ અને સંસ્થાનોની તરફથી સ્વૈછિક દાન સ્વીકારે છે. આ કોઈપણ બજેટિય પ્રાવધાન કે લોક ઉપક્રમનાં બેલેન્સશીટથી આવાનારાં પૈસાનો સ્વીકાર નથી કરતું.

PM CARESને પબ્લિક ઓથોરિટી ન માની શકાય
PM CARES ફંડમાં આપવામાં આવેલા યોગદાનને આયકર અધિનિયમ 1961 અંતર્ગત છૂટ આપવામાં આવી છે પરંતુ એ આ વાતને સાચું નહીં પુરવાર કરી શકે કે આ એક પબ્લિક ઓથોરિટી છે. આગળ કહેવામાં આવ્યું કે ફંડને સાર્વજનિક સત્તા ન કહી શકાય કારણકે જે કારણે તેને બનાવવામાં આવ્યું હતું તે વિશુદ્ધરૂપે ધર્માર્થ છે અને ન તો ફંડનો ઉપયોગ કોઈ સરકારી યોજના માટે થાય છે અને ન તો ટ્રસ્ટ સરકારની કોઈપણ નીતિથી શાસિત થાય છે. તેથી પીએમ કેયર્સને પબ્લિક ઓથોરિટીનાં રૂપમાં લેબલ ન કરી શકાય.

PMOની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે...
PMOએ આગળ એ પણ તર્ક આપ્યું કે PM CARES ફંડને પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ (PMNRF) ની તર્જ પર સંચાલિત કરવામાં આવે છે કારણકે બંનેની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે. જવાબમાં કહેવામાં આવ્યું કે જે રીતે PMNRF માટે રાષ્ટ્રીય પ્રતિક અને ડોમેન નામ gov.inનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે પીએમ કેયર્સ ફંડ માટે પણ તેનો જ ઉપયોગ કરવામાં આવે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow