રાજકોટના શહીદવીરોના નામની તક્તી જળાશયો પર મુકાશે

રાજકોટના શહીદવીરોના નામની તક્તી જળાશયો પર મુકાશે

15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ ઝુંબેશ શરૂ થઈ રહી છે. ગુજરાતમાં આ ઝુંબેશ મારી માટી મારા દેશના અનુસંધાને 9મીએથી શરૂ થવાનો છે. જેમાં દરેક ગામમાંથી માટી એકઠી કરીને તાલુકા અને પછી જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ પહોંચાડી દિલ્હી મોકલાવાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ કાર્યક્રમો થશે જેને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે.

આ કાર્યક્રમમાં માત્ર માટી આપવાની જ નહીં પણ પાંચ મુખ્ય મુદ્દાઓ પર આખી ઝુંબેશ થશે. અમૃત સરોવર અને જળાશયો પર પથ્થરની તક્તી મુકાશે જેમાં સ્થાનિક શહીદવીરોના નામ લખાશે. પંચ પ્રણપ્રતિજ્ઞા એટલે કે વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, દેશના સમૃધ્ધ વારસાનુ ગર્વ અને સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા, ફરજ અને જવાબદારીની ભાવનાની પ્રતિજ્ઞા લેવામાં આવશે. દરેક પંચાયત ઓછામાં ઓછા 75 છોડનું વાવેતર કરશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow