એમપીના કૂનોમાં ગીરના સિંહને લાવવાની યોજના

એમપીના કૂનોમાં ગીરના સિંહને લાવવાની યોજના

વન્યજીવ એક્સપર્ટ અને ચિત્તા ટાસ્ક ફોર્સના સભ્ય દિવ્યા ભાનુસિંહે તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ચિત્તા’માં ગીરના સિંહને કૂનો નેશનલ પાર્કમાં લાવવાની વાતને ઉજાગર કરી છે. ગીરના સિંહને મધ્યપ્રદેશના કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે. 1990ના દાયકા દરમિયાન ભારત સરકારે કુદરતી આફતો અને રોગચાળાને કારણે ગીરથી કૂનોમાં સિંહોના સ્થળાંતરનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાત સરકારે ટ્રાન્સલોકેશનનો વિરોધ કરતાં અન્ય રાજ્યમાં સિંહોને ખસેડવાને ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું હતું. કારણ કે એશિયાટીક સિંહ ભારતમાં જ જોવા મળે છે જે ફક્ત ગીર અભયારણમાં જ વસે છે. પુસ્તકમાં કહ્યા પ્રમાણે એકવાર ચિત્તો કૂનોમાં અનુકૂળ થઈ જાય અને પ્રજનન કરે ત્યારે ગીરના સિંહોને પણ લાવી શકાય છે.

ગયા વર્ષે, પીએમ મોદીના 72મા જન્મદિવસ પર આઠ ચિત્તાને નામિબિયાથી કૂનો લાવવામાં આવ્યા હતા. તેમાંથી 29 માર્ચે કિડનીના રોગના લીધે શાશાનું મૃત્યુ થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તા કૂનોમાં છોડવામાં આવ્યા હતા. હવે ગીરના સિંહને કૂનોમાં લાવવાની ચર્ચા શરૂ થઇ છે, ગીરના સિંહને કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow