એમપીના કૂનોમાં ગીરના સિંહને લાવવાની યોજના

એમપીના કૂનોમાં ગીરના સિંહને લાવવાની યોજના

વન્યજીવ એક્સપર્ટ અને ચિત્તા ટાસ્ક ફોર્સના સભ્ય દિવ્યા ભાનુસિંહે તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ચિત્તા’માં ગીરના સિંહને કૂનો નેશનલ પાર્કમાં લાવવાની વાતને ઉજાગર કરી છે. ગીરના સિંહને મધ્યપ્રદેશના કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે. 1990ના દાયકા દરમિયાન ભારત સરકારે કુદરતી આફતો અને રોગચાળાને કારણે ગીરથી કૂનોમાં સિંહોના સ્થળાંતરનો પ્રસ્તાવ મૂક્યો હતો.

ગુજરાત સરકારે ટ્રાન્સલોકેશનનો વિરોધ કરતાં અન્ય રાજ્યમાં સિંહોને ખસેડવાને ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું હતું. કારણ કે એશિયાટીક સિંહ ભારતમાં જ જોવા મળે છે જે ફક્ત ગીર અભયારણમાં જ વસે છે. પુસ્તકમાં કહ્યા પ્રમાણે એકવાર ચિત્તો કૂનોમાં અનુકૂળ થઈ જાય અને પ્રજનન કરે ત્યારે ગીરના સિંહોને પણ લાવી શકાય છે.

ગયા વર્ષે, પીએમ મોદીના 72મા જન્મદિવસ પર આઠ ચિત્તાને નામિબિયાથી કૂનો લાવવામાં આવ્યા હતા. તેમાંથી 29 માર્ચે કિડનીના રોગના લીધે શાશાનું મૃત્યુ થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તા કૂનોમાં છોડવામાં આવ્યા હતા. હવે ગીરના સિંહને કૂનોમાં લાવવાની ચર્ચા શરૂ થઇ છે, ગીરના સિંહને કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow