મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગ

મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગ

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ભોગ બનનાર લોકોના પરિવારજનોને રૂ. 25 લાખ વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને હાઈ કોર્ટમાં સુઓમોટો સાથે ચલાવવા રજૂઆત કરવામાં આવી છે.  ‌‌

ગુજરાત હાઈ કોર્ટે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના અંગે સુઓમોટો અરજી કરી હતી, જેમાં રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના માલિકો સામે અને વેધક સવાલો કર્યા હતા. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. આ અંગેની સુનાવણી ગુરુવારે યોજાવાની હોવાથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને તેની સાથે સાંભળવા દાદ માગવામાં આવી છે, જેની સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે રજિસ્ટ્રીમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની બે અરજી અને સુઓમોટો અરજી કરવામાં આવી છે.

એક અરજીમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરાઈ છે. જ્યારે બીજી અરજીમાં વળતરની રકમ 25 લાખ આપવા અને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં સરકાર અને નગરપાલિકાની બેજવાબદારી અને વળતર સહિતની બાબતે સવાલો કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પુલ હોનારત કેસમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલે રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં પુલનું રિનોવેશન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ સસ્પેન્શન બ્રિજનો મુખ્ય કેબલ કાટ લાગેલો હતો તથા લોખંડની એંગલો પણ ખરાબ થઈ ગઈ હતી.તેના જોઇન્ટ્સ પણ ત્રણ ઇંચ જેટલા ખૂલી ગયા હતા.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow