જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની મંજુરી

જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની મંજુરી

આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ભાવિક ભક્તો હનુમાનજીના મંદિરમાં પહોંચી રહ્યા છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે રામ નવમી પર થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં બંગાળ, બિહાર તેમજ દિલ્હીનો સમાવેશ થાય છે, જ્યાં ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. હાલના દિવસોમાં બંગાળના હુગલીમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પોલીસે આ વિસ્તારના વાતાવરણની સમીક્ષા કરવા માટે રાત્રે ફ્લેગ માર્ચ હાથ ધરી હતી.

દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી
દિલ્હી પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય હિન્દુ સંગઠનોને જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી છે. જો કે પોલીસે કહ્યું છે કે આ યાત્રા માત્ર નિર્ધારિત વિસ્તારમાં જ કાઢી શકાશે. પોલીસે રૂટ તૈયાર કર્યો છે અને સંગઠનોને કાયદાના દાયરામાં રહીને યાત્રા કરવા જણાવ્યું છે.

બુધવારે પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા યોજવાની મંજુરી આપવાની ના પાડી દીધી હતી. પોલીસે તેની પાછળ કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવીએ કે ગયા વર્ષે 16 એપ્રિલે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow