જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની મંજુરી

જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની મંજુરી

આજે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ ભાવિક ભક્તો હનુમાનજીના મંદિરમાં પહોંચી રહ્યા છે. અનેક રાજ્યોમાં શોભાયાત્રાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે રામ નવમી પર થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.

આ રાજ્યોમાં બંગાળ, બિહાર તેમજ દિલ્હીનો સમાવેશ થાય છે, જ્યાં ગયા વર્ષે જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસે હિંસા થઈ હતી. હાલના દિવસોમાં બંગાળના હુગલીમાં પથ્થરમારો અને આગચંપીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પોલીસે આ વિસ્તારના વાતાવરણની સમીક્ષા કરવા માટે રાત્રે ફ્લેગ માર્ચ હાથ ધરી હતી.

દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી
દિલ્હી પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને અન્ય હિન્દુ સંગઠનોને જહાંગીરપુરીમાં શોભાયાત્રા યોજવાની પરવાનગી આપી છે. જો કે પોલીસે કહ્યું છે કે આ યાત્રા માત્ર નિર્ધારિત વિસ્તારમાં જ કાઢી શકાશે. પોલીસે રૂટ તૈયાર કર્યો છે અને સંગઠનોને કાયદાના દાયરામાં રહીને યાત્રા કરવા જણાવ્યું છે.

બુધવારે પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા યોજવાની મંજુરી આપવાની ના પાડી દીધી હતી. પોલીસે તેની પાછળ કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. જણાવીએ કે ગયા વર્ષે 16 એપ્રિલે હનુમાન જયંતિ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે તણાવ સર્જાયો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow