જે લોકો વધારે તીખું-તમતમતું પસંદ છે તેઓ પોતાની જાતને આકર્ષક સમજે છે

જે લોકો વધારે તીખું-તમતમતું પસંદ છે તેઓ પોતાની જાતને આકર્ષક સમજે છે

જે લોકો વધુ તીખું-તમતમતું અને મસાલેદાર ખાઈ છે તે લોકોની જિંદગી પણ સ્પાઈસી હોય છે, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વમાં આ દાવો 2 હજાર અમેરિકી લોકો પર કરવામાં આવ્યો છે. આ રિસર્ચના પરિણામ પરથી ખબર પડી છે કે, મસાલેદાર જમવાની આદતને તમારી પર્સનાલિટી સાથે ગાઢ સંબંધ છે.

93% લોકોને તીખું-તમતમતું જમવાનું પસંદ
તો સર્વે મુજબ 93% લોકોને જમવામાં તીખું અને મસાલેદાર જમવાનું પસંદ છે. તેમાં પણ એક રેન્જ છે. જ્યારે 36% લોકોજમવામાં મીડીયમ તીખું ખાવાનું પસંદ કરે છે, તો બીજી તરફ 33% લોકો ઓછું તીખું ખાવાનું ઇચ્છે છે અને 24% લોકો વધુ તીખું ખાવાનું પસંદ કરે છે. ત્યાં ફક્ત 7% લોકો છે જેઓ બિલકુલ તીખું ખાતા નથી.

મસાલેદાર ખાનારા 76% લોકો વધુ સાહસિક છે
સર્વેક્ષણમાં ભાગ લેનારાઓની સંખ્યામાંથી જે લોકોને તીખું ખાવાનું પસંદ કરે છે, તે 21% પોતાને બહિર્મુખ માને છે. તો બીજી તરફ 54% પોતાને સર્જનાત્મક, 51% આત્મવિશ્વાસ અને 44% હિંમતવાન માને છે. 76% ઓછું તીખું ખાનાર લોકોની સરખામણીએ પોતાને વધારે સાહસિક, 62% વધુ આકર્ષક અને 66% જીવનથી સંતુષ્ટ માને છે.

ઓછું તીખું ખાનારા લોકો શરમાળ
સર્વમાં જે લોકો પોતાને ઓછું તીખું કે ખાઈ છે તેવું જણાવ્યું છે તેમાં 41% પોતાને સહાનુભૂતિશીલ અને 37% શરમાળ માને છે. આ પૈકી 47% કૂતરાઓને વધુ પ્રેમ કરે છે. 50% મધ્યમ તીખું ખાનારા પોતાને શાંત અને 44% વિચિત્ર માને છે.

તીખું ખાનારા લોકો પાર્ટીની શાન હોય છે
તો સર્વેમાં 76% જેઓ વધુ મસાલેદાર ખોરાક પસંદ કરે છે તે લોકોને ટ્રાવેલિંગનો શોખ હોય છે. નવી-નવી વસ્તુ ટ્રાય કરવાને કારણે કોઈપણ પાર્ટીની જાન બની જાય છે. આ ઉપરાંત, 32% લોકો શાકાહારી અથવા ડાયટ ફોલો કરે છે. પરિણામો એમ પણ કહે છે કે, સ્પાઈસી ખાનારા 12% લોકો કન્યા રાશિ છે. આ ઉપરાંત મધ્યમ તીખું પસંદ કરતા 11% લોકોની રાશિ સિંહ છે. ધન રાશિ ધરાવતા 11% લોકોને તીખું બિલકુલ પસંદ નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow