અમદાવાદમાં રોડ શોને કારણે લોકોને મુશ્કેલી

અમદાવાદમાં રોડ શોને કારણે લોકોને મુશ્કેલી

વિધાનસભાની ચૂંટણીને પગલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરોડાથી લઈને ચાંદખેડા સુધીના મેરેથોન રોડ શોમાં અનેક લોકો જોડાયા પરંતુ આ રોડ શોને કારણે હજારો લોકોને મુશ્કેલી પણ ભોગવવી પડી હતી. રૂટ પર આવતા અનેક નાના-મોટા વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા ઉપરાંત અનેક રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપાર ધંધેથી પરત આવી રહેલા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઘણી જગ્યાએ રસ્તા બંધ કરેલા હોવાથી વાહનચાલકોને અનેક કિમી ફરી ફરીને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવું પડ્યું હતું. એક તરફ ચૂંટણી અને બીજી તરફ લોકોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો કર્યો હતો. જે નિયત સમય કરતા મોડો શરૂ થતા વડાપ્રધાન સુભાષ બ્રિજ પહોંચે તે પહેલા જ તેમના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને અનેક રૂટ બંધ પણ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સુભાષબ્રિજ જંક્શન સાબરમતી ચાંદખેડા અને અન્ય વિસ્તારોને જોડતો હોવાથી આ સુભાષબ્રિજ સર્કલ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી લોકો ફસાયેલા રહ્યા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ ટ્રાફિક હળવો બન્યો હતો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow