લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

લોકો બહારથી ખાવાનું લાવીને ટોકિઝમાં ન ખાઈ શકે, સિનેમા માલિકોને રોકવાનો હક- સુપ્રીમ ચુકાદો

સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કરી દીધું છે કે સિનેમા હોલના માલિકોને એ અધિકાર છે કે તેઓ ફિલ્મ જોવા આવતા લોકોને બહારથી ખાવાનું લાવતા અટકાવી શકે. જમ્મુ-કાશ્મીર મલ્ટિપ્લેક્સના માલિકોએ 18 જુલાઈ, 2018ના રોજ હાઈકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, જેમાં ફિલ્મ જોનારાઓને સિનેમા હોલની અંદર બહારનું ખાવાનું લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

સિનેમા હોલ માલિકની ખાનગી સંપત્તિ
હાઈકોર્ટને નિર્ણયને ફગાવતા ચીફ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિમ્હાની બેંચે કહ્યું કે, "સિનેમા હોલ તેના માલિકની ખાનગી સંપત્તિ છે. જ્યાં સુધી તે જાહેર હિત, સલામતી અને કલ્યાણની વિરુદ્ધ ન હોય ત્યાં સુધી આવા નિયમો અને શરતો નક્કી કરવાનો માલિકને અધિકાર છે.

જલેબી અથવા તંદૂરી ચિકન ખાઈને સીટ ગંદી કરો તો કોણ સાફ કરશે
ખંડપીઠે અરજદારને કહ્યું હતું કે સિનેમા હોલ જીમ અથવા ખાવા માટેનું સ્થળ નથી પરંતુ મનોરંજનનું સ્થળ છે. જો કોઈ હોલની અંદર જલેબી અથવા તંદૂરી ચિકન લાવે અને ખાઈને ખુરશી સાથે હાથ લૂંછે તો જે ગંદુ થશે તે કોણ સાફ કરશે, આવા કિસ્સામાં માલિકને હક છે કે તે બહારથી ખાવાનું લાવતા લોકોને રોકે. અરજદારે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે સિનેમા હોલની અંદર ખાવાનું સારુ મળતું નથી તેથી દર્શકોને મોંઘા ભાવે ટોકિઝમાંથી લેવું પડતું હોય છે. આવા કિસ્સામાં દર્શકોને બહારથી ખાવાનું લાવવું પડતું હોય છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow