ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

હાલ ઘર ઘરમાં કોલ્ડ અને કફના દર્દીઓ છે. લોકોને ખાંસી મટવાનું નામ નથી લઈ રહી. કફ સિરપ અને નાસ લેવાથી પણ લોકોને રાહત નથી મળી રહી. છેલ્લા થોડા દિવસોમાં આ લક્ષણોથી ઝઝુમી રહેલા લોકોની ઘણી ખબરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો શરદી-ખાંસી વાળા ઈન્ફેક્શનની વાત કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એવી ખાંસી આવી રહી છે જે મટવાનું નામ નથી લઈ રહી. ICMRએ પણ આ નવા ઈન્ફેક્શનને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કોલ્ડ કફથી બચવા માટે કોવિડ વાળી સાવધાની રાખો.

વાતાવરણમાં ફેરફારથી મુશ્કેલી
ડોક્ટર્સનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી દિલ્હીની હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના 30 ટકા દર્દી વધ્યા છે.

આ વાયરલ સામાન્ય નથી. તેના કારણે દર્દીઓમાં ગળામાં દુખાવો, ખીચખીચ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, શરદી અને તાવની ફરિયાદ જોવા મળી રહી છે. તેના દર્દીઓને સાજા થવામાં 30 દિવસનો સમય લાગી રહ્યો છે.

ડૉક્ટરોને પણ થઈ રહ્યું ઈન્ફેક્શન
ડૉક્ટરોએ સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સંસ્થાપક સદસ્ય ડૉ. મનીષ ઝાંગડાને કહ્યું કે તેમના સર્કલમાં લભગ 30 ટકા ડોક્ટર તેના લપેટામાં આવી ગયા છે. તે પોતે છેલ્લા 20 દિવસથી બિમાર છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

કેસ સ્ટડી 1
સ્વર્ણિમનું કહેવું છે કે હું 10 દિવસથી ખાંસી અને કફથી પીડિત છું. ડૉક્ટર પાસેથી દવા લીધી. એન્ટીબાયોટિક પણ લીધી પરંતુ તેમ છતાં અત્યાર સુધી ખાસી અને શરદી મટ્યા નથી. આ ખુબ જ અલગ છે.

શું કહે છે એક્સપર્ટ?
એક્સપર્ટ્સ અનુસાર હાલ આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દર્દી તાવ, ખાંસી, ગળુ ખરાબ થવું જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. તેનું કારણ વાતાવરણમાં અચાનક ફેરફાર, કોવિડ બાદ ઘટતી રોકપ્રતિકારક ક્ષમતા અને પ્રદૂષણ છે.

એવામાં દર્દી સૌથી વધારે મહાનગરોમાં જ છે. તેમાંથી અમુક સ્વાઈન ફ્લૂની ફરિયાદ છે. ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકોને બાકી લોકો કરતા વધારે સામાન્ય કોલ્ડ કફ છે. તેને સ્વાઈન ફ્લૂ ન સમજો. સાવધાની માટે બહાર જતી વખતે માસ્ક લગાવો.

આ સવધાની રાખો

  • લક્ષણ દેખાવવા પર પોતાને આઈસોલેટ કરો
  • વારંવાર હાથ ધોવો
  • ભીડમાં માસ્ક પહેરો
  • વૃદ્ધ અને બાળકોનું ધ્યાન રાખો

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow