નવી દુલ્હનના ગૃહપ્રવેશ વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારૂ ઘર

નવી દુલ્હનના ગૃહપ્રવેશ વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તમારૂ ઘર

હિંદૂ ધર્મના બધા 16 સંસ્કરોમાં એક છે વિવાહ સંસ્કાર. ત્યાં જ ચાર મહત્વપૂર્ણ સંસ્કારોમાંથી એક છે વિવાહ. હિંદૂ ધર્મમાં થતા વિવાહમાં ઘણા રીતિ-રિવાજ હોય છે. અમુક નિયમ લગ્ન પહેલા અને અમુક લગ્ન બાદ પણ થાય છે.

દુલ્હન જ્યારે વિદાય બાદ પહેલી વખત પોતાના સાસરે પહોંચે છે તો તેનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે હિંદૂ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે સંપૂર્ણ-વિધિ વિધાનથી નવી દુલ્હનનો ગૃહ પ્રવેશ કરવામાં આવે છે.

ગૃહ પ્રવેશ વખતે ધ્યાનમાં રાખો ખાસ વસ્તુઓ
નવી દુલ્હનના ઘર પર ગૃહ પ્રવેશ કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ખોટી વિધિ અથવા અશુભ મુહૂર્તમાં નવવધુનો ગૃહ પ્રવેશ કરશો તો તેનાથી ઘર પર કલેશની સ્થિતિ પેદા થઈ શકે છે. સાથે જ આવા ઘર પર લક્ષ્મીજી પણ સ્થાઈ રૂપથી ટકતી નથી.

યોગ્ય  મુહૂર્તમાં કરો ગૃહપ્રવેશ
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ અને વ્રત-તહેવારોની તમામ વિધિઓમાં મુહૂર્તનું વિશેષ મહત્વ છે. નવી વહુનું ગૃહ પ્રવેશ પણ શુભ માનવામાં આવે છે. એટલા માટે તેને શુભ મુહૂર્તમાં જ કરો. નવી વહુનો ગૃહ પ્રવેશ રાત્રે કરવો શુભ માનવામાં આવે છે.

આ માટે ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ અને રોહિણી જેવા સ્થિર સંજ્ઞક નક્ષત્રો શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે કોઈ પુજારી અથવા જ્યોતિષ દ્વારા કહેવામાં આવેલા શુભ મુહૂર્તમાં નવવિવાહિત યુગલના ઘરમાં પણ પ્રવેશ કરી શકો છો.

કળશ ચાવલ વિધિનું મહત્વ
નવી વહુના ઘરમાં પ્રવેશ કરતી વખતે મોટાભાગના હિંદુ પરિવારોમાં કળશ ચાવલ વિધિના નિયમોનું પાલન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે નવવધૂ પોતાના જમણા પગથી કલશમાં ભરેલા ચોખાને ઘરની અંદર નાખે છે. ત્યારે તે ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સૌભાગ્ય લાવે છે.

કન્યાના પગના નિશાન
નવી કન્યા ગૃહપ્રવેશના સમયે લાલ કંકુથી ભરેલી થાળીમાં પગ મૂકે છે અને આ રીતે તે શુભ રંગ લાલથી પગના નિશાનની સાથે ઘરના દ્વારથી ઘરના મંદિર સુધી જાય છે. તે રસમને ઘર પર સુખ-સમૃદ્ધિ લાવવા માટે દેવી લક્ષ્મીને પ્રવેશનું સુચક માનવામાં આવે છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow