અમેરિકનોને દેશભક્તિ

અમેરિકનોને દેશભક્તિ

25 વર્ષમાં અમેરિકનોની વિચારવાની રીતમાં ઝડપથી ફેરફાર થયો છે. એક રિસર્ચ અનુસાર અમેરિકનો ધર્મ, દેશભક્તિ અને બાળકો પેદા કરવા જેવાં પરંપરાગત મૂલ્યોને ઓછું પ્રાધાન્ય આપે છે. દરમિયાન પૈસાને પ્રાથમિકતા આપતા લોકોનો ગુણોત્તર 1998 બાદ વધ્યો છે. શિકાગો યુનિવર્સિટીમાં વૉલ સ્ટ્રીટ જર્નલ અને એનઓઆરસી દ્વારા કરાયેલા સરવેમાં 1 માર્ચથી 13 માર્ચની વચ્ચે કુલ 1019 લોકોએ ભાગ લીધો હતો.

સરવે અનુસાર હવે માત્ર 38% લોકો માટે દેશભક્તિ મહત્ત્વની છે. 1998માં આ આંકડો 70% હતો. આ જ સમય દરમિયાન માત્ર 39% લોકો જ ધર્મને મહત્ત્વ આપે છે. જ્યારે 1998માં ધર્મને જરૂરી માનતા લોકોની સંખ્યા 62% હતી. તદુપરાંત જીવનમાં સંતાન હોવાને જરૂરી માનતા લોકોની સંખ્યા પણ 25 વર્ષમાં 59%થી ઘટીને 30% થઇ ચૂકી છે. રિપોર્ટ બનાવનારા પોલ્સ્ટર બિલ મેકિનટર્ફનું માનવું છે કે આ ફેરફાર ઝડપી છે.

પૈસાને પ્રાધાન્ય આપતા લોકોની સંખ્યા 12 ટકા વધી
25 વર્ષ પહેલાં 1998માં પૈસાને મહત્ત્વ આપનારા 31% હતા જે 2023માં વધીને 43% થયા છે. જ્યારે પૈસાને પ્રાથમિકતા આપતા 1 ટકા અમેરિકનોના મતે યુએસનું અર્થતંત્ર ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે. જ્યારે 5માંથી 4 લોકોને લાગે છે કે અર્થતંત્ર ખરાબ અથવા તો વધુ સારી સ્થિતિમાં નથી. જ્યારે સમાજમાં એકબીજા સાથે ભાગીદારી હોય એવું માનનારાની ટકાવારી 27% છે. અગાઉ 1998માં સમાજમાં 43% લોકો ભાગીદારીને મહત્ત્વ આપતા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow