રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

રાજકોટથી મુંબઈ જવા માટે હવે રાજકોટના યાત્રિકોને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી મુંબઈ જવા માત્ર સાંજે જ બે ફ્લાઈટ ઉપલબ્ધ હતી.

પરંતુ હવે બે ફ્લાઈટ સવારે અને બે ફ્લાઈટ સાંજે એમ કુલ ચાર ફ્લાઈટ ઉપલબ્ધ થતા યાત્રિકોને રાહત થઇ છે. ચાર ફ્લાઈટ પૈકી ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 08.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 08.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. જ્યારે બીજી ફ્લાઈટ બપોરે 12.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 12.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

આ ઉપરાંત સાંજના સમયે એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ 17.35 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી રાજકોટ આવવા ઉડાન ભરશે અને 17.40 કલાકે રાજકોટમાં લેન્ડ થશે. જ્યારે સાંજની બીજી ફ્લાઈટ ઈન્ડિગોની 18.40 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 19.10 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઈ જવા માટેની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે માગણી ઊઠી હતી. સવારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો સવારે ફ્લાઈટમાં મુંબઈ જઈને પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત આવી શકશે. ઉલ્લેખનીય છે કે, હિરાસર એરપોર્ટ શરૂ થયા અન્ય શહેરોની પણ ફ્લાઈટ શરૂ થઈ શકે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow