Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

Gujaratnow1 min read
રાજકોટથી મુંબઈ જવા હવે યાત્રિકોને રોજ 4 ફ્લાઈટ મળશે

રાજકોટથી મુંબઈ જવા માટે હવે રાજકોટના યાત્રિકોને દરરોજ ચાર ફ્લાઈટ મળશે. તાજેતરમાં જ એર ઇન્ડિયા અને ઈન્ડિગોની સવારની નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવતા એર ફ્રીક્વન્સીમાં વધારો થયો છે. અત્યાર સુધી મુંબઈ જવા માત્ર સાંજે જ બે ફ્લાઈટ ઉપલબ્ધ હતી.

પરંતુ હવે બે ફ્લાઈટ સવારે અને બે ફ્લાઈટ સાંજે એમ કુલ ચાર ફ્લાઈટ ઉપલબ્ધ થતા યાત્રિકોને રાહત થઇ છે. ચાર ફ્લાઈટ પૈકી ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 08.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 08.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે. જ્યારે બીજી ફ્લાઈટ બપોરે 12.15 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 12.45 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

આ ઉપરાંત સાંજના સમયે એર ઇન્ડિયાની મુંબઈની ફ્લાઈટ 17.35 કલાકે મુંબઈ એરપોર્ટ પરથી રાજકોટ આવવા ઉડાન ભરશે અને 17.40 કલાકે રાજકોટમાં લેન્ડ થશે. જ્યારે સાંજની બીજી ફ્લાઈટ ઈન્ડિગોની 18.40 કલાકે મુંબઈથી ઉડાન ભરશે અને 19.10 કલાકે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટથી મુંબઈ જવા માટેની સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે માગણી ઊઠી હતી. સવારે ફ્લાઈટ શરૂ કરવામાં આવતા રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગકારો સવારે ફ્લાઈટમાં મુંબઈ જઈને પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં રાજકોટ પરત આવી શકશે. ઉલ્લેખનીય છે કે, હિરાસર એરપોર્ટ શરૂ થયા અન્ય શહેરોની પણ ફ્લાઈટ શરૂ થઈ શકે છે.

Gujaratnow1 min read

Related News