પંચમહોત્સવ ફિક્કો - 300 ખુરશીની તોડફોડ

પંચમહોત્સવ ફિક્કો - 300 ખુરશીની તોડફોડ

પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર પંચમહોત્સવ કોરોના બે વર્ષ બાદ ઉજવ્યો હતો. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા ખુલ્લા કરી દીધી હતી.

તેમ છતાં કાર્યક્રમમાં ભીડનો અભાવ દેખાવા મળ્યો હતો. જયારે પંચમહોત્સવમાં ભારતભરમાં નામના મેળવનાર અને વડાપ્રધાને સમ્માનીત કરેલ ભરતભાઇ બારીયાને પંચમહોત્સવના કાર્યકમમાં ન બોલાવતાં ભરતભાઇ બારીયાએ વિરોધ દર્શાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી
પંચમહોત્સવમાં શુક્રવારની રાતે કિજલ દવેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ખુરશીની વ્યવસ્થાઓ ઓછી હતી. જેથી ઉભા રહીને કાર્યક્રમ નિહાળવો પડયો હતો. સંગીત સંધ્યામાં બેઠક વ્યવસ્થા પર લોકો ખુરશી પર ઉભા રહીને નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી હતી.

આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી
કેટલાક યુવાનોએ ખુરશીનો કુરચો બોલાવી દેતાં આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી હતી. સ્ટેજ પરથી શાંતી રાખવાની અપીલ કરવા છતાં બેકાબુ બનેલા યુવાનોને કાર્યક્રમમાં અવ્યવસ્થા ફેલાતાં અનેક ખુરશીઓ ઉછળીને તોડી નાખી હતી. બે વર્ષ બાદ યોજાયેલો પંચમહોત્સવ કાર્યક્રમ ઉત્સાહ વિનાંનો રહ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow