પંચમહોત્સવ ફિક્કો - 300 ખુરશીની તોડફોડ

પંચમહોત્સવ ફિક્કો - 300 ખુરશીની તોડફોડ

પાવાગઢ વડાતળાવ ખાતે વહીવટી તંત્ર પંચમહોત્સવ કોરોના બે વર્ષ બાદ ઉજવ્યો હતો. 25થી 31મી ડીસેમ્બર સુધી પંચમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ બે દિવસ કાર્યક્રમમાં લોકોની સંખ્યા પાંખી રહેતા તંત્રે પાસ સીસ્ટમ રદ કરીને તમામ માટે સંગીત સંધ્યા કાર્યક્રમ માટે દરવાજા ખુલ્લા કરી દીધી હતી.

તેમ છતાં કાર્યક્રમમાં ભીડનો અભાવ દેખાવા મળ્યો હતો. જયારે પંચમહોત્સવમાં ભારતભરમાં નામના મેળવનાર અને વડાપ્રધાને સમ્માનીત કરેલ ભરતભાઇ બારીયાને પંચમહોત્સવના કાર્યકમમાં ન બોલાવતાં ભરતભાઇ બારીયાએ વિરોધ દર્શાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી
પંચમહોત્સવમાં શુક્રવારની રાતે કિજલ દવેના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કાર્યક્રમમાં સામાન્ય લોકો માટે ખુરશીની વ્યવસ્થાઓ ઓછી હતી. જેથી ઉભા રહીને કાર્યક્રમ નિહાળવો પડયો હતો. સંગીત સંધ્યામાં બેઠક વ્યવસ્થા પર લોકો ખુરશી પર ઉભા રહીને નાચગાન કરનાર બેકાબુ બનતાં ખુરશીઓ ઉછળી હતી.

આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી
કેટલાક યુવાનોએ ખુરશીનો કુરચો બોલાવી દેતાં આશરે 300થી વધુ ખુરશીની તોડફોડ કરી હતી. સ્ટેજ પરથી શાંતી રાખવાની અપીલ કરવા છતાં બેકાબુ બનેલા યુવાનોને કાર્યક્રમમાં અવ્યવસ્થા ફેલાતાં અનેક ખુરશીઓ ઉછળીને તોડી નાખી હતી. બે વર્ષ બાદ યોજાયેલો પંચમહોત્સવ કાર્યક્રમ ઉત્સાહ વિનાંનો રહ્યો હતો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow