જયલલિતાના પક્ષમાં નેતૃત્વની લડાઇમાં પલાનીસામીની જીત

જયલલિતાના પક્ષમાં નેતૃત્વની લડાઇમાં પલાનીસામીની જીત

તમિલનાડુની ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે)માં નેતૃત્વ અને વર્ચસ્વની લડાઇ પર સુપ્રીમકોર્ટે બ્રેક લગાવી દીધી છે. સુપ્રીમકોર્ટે ગુરુવારે ઇ. પલાનીસામી (ઇપીએસ) જૂથને મોટી રાહત આપતા મહાસચિવ તરીકે કામ ચાલુ રાખવાને લીલી ઝંડી આપી દીધી છે. તે પલાનીસામીના વિરોધી ઓ. પન્નીરસેલ્વમ જૂથ માટે મોટો ઝટકો મનાય છે.

મદ્રાસ હાઇકોર્ટે પલાનીસામીને એઆઇએડીએમકેને એકમાત્ર નેતાના રૂપમાં માન્યતા આપી હતી. એ નિર્ણયને પન્નીરસેલ્વમે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. આ ચુકાદા પછી પક્ષનું સુકાન સંપૂર્ણપણે પલાનીસામી પાસે રહેશે.

હકીકતમાં પક્ષના દિવંગત વડાં જયલલિતાના નિધન પછી પક્ષ પર કબજાને લઇને વિવાદ શરૂ થઇ ગયો હતો. ત્યારે પન્નીરસેલ્વમ અને પલાનીસામી સાથે જયલલિતાના સાથીદાર શશીકલા પણ આ વિવાદમાં સામેલ હતાં. બાદમાં તેઓ અલગ થઇ ગયાં અને પક્ષ બે જૂથમાં વહેંચાઇ ગયો. એક જૂથ પલાનીસામી સાથે રહ્યો, તો બીજો પન્નીરસેલ્વમ સાથે જતું રહ્યું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow