મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

મલાઇકા અરોરા પર ભડક્યો પાકિસ્તાની અભિનેતા, લખ્યું ટેલન્ટની જરુંર છે, આપ જૈસા કોઈ નહીં

પાકિસ્તાની સેલિબ્રિટીઓ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ

એટલું જ નહીં, રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. ફિલ્મ એન એક્શન હીરોથી બોલીવુડ ડીવા મલાઈકા અરોરાએ સિલ્વર સ્ક્રીન પર કમબેક કર્યુ છે. મલાઈકાનુ ફિલ્મમાં આઈટમ સોન્ગ છે. આઈકૉનિક સોન્ગ 'આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આએ'ના રીમિક્સ વર્ઝનમાં મલાઈકા અરોરા ધૂમ મચાવી રહી છે. તેના સેક્સ્યુઅલ મૂવ્જે તાપમાન વધારવામાં કોઈ કસર બાકી રાખી નથી. ગીતમાં મલાઈકાના ડાન્સને જોઇને પ્રશંસકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનમાં આ રીમિક્સ સોન્ગના ક્રિએશને હોબાળો મચાવ્યો છે.

અદનાન સિદ્દીકીનુ ટ્વિટ

યુઝર્સ જ નહીં, પાકિસ્તાની સેલિબ્રિટીઓ પણ 'આપ જૈસા કોઈ'ના રીમિક્સ વર્ઝનથી નારાજ છે. પાકિસ્તાનના ટોચના અભિનેતાઓમાં સામેલ અદનાન સિદ્દીકીએ નારાજગી દર્શાવી છે. અદનાને ટ્વિટ કરી લખ્યું, શું હવામાં કઈક છે, જે અચાનક દુનિયા પરફેક્ટ ક્લાસિક્સને બરબાદ કરવા માટે ઝુકી પડી છે? ત્યાં સુધી કે રી-ક્રિએશન માટે પણ ટેલેન્ટની જરૂર હોય છે. નાજિયા હસન પણ પોતાની કબરમાં પડખા ફરતી હશે. #AapJaisaKoi. અદનાન સિદ્દીકી આની પહેલા પણ બોલીવુડ પર પાકિસ્તાની ગીતોને ચોરવા, રીમેક બનાવવા પર ભડકી ચૂક્યા છે.

શું છે વિવાદ?

ફિલ્મ એન એક્શન હીરોના લોકપ્રિય ગીત આપ જૈસા કોઈ ગીતના રીમિક્સ વર્ઝનને જહરાહ એસખાન અને આલ્તમશ ફરીદીએ ગાયુ છે. લીરિક્સ તનિષ્ક બાગચી અને ઈન્ડીવારે લખ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગીત ફિલ્મ કુરબાનીમાં સૌથી પહેલા જોવામાં આવ્યું હતુ. ઓરિજનલ ગીતને પાકિસ્તાની સિંગર નાજિયા હસને ગાયુ હતુ. 2000માં નાજિયાનુ દેહાંત થયુ હતુ.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow