યજમાની છીનવી તો પાકિસ્તાન એશિયા કપ નહિ રમે!

યજમાની છીનવી તો પાકિસ્તાન એશિયા કપ નહિ રમે!

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું છે કે 'જો 2023 એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય તો તેમની ટીમ ટૂર્નામેન્ટ નહીં રમે. ટૂર્નામેન્ટનું સ્થળ માત્ર એટલા માટે ન બદલવું જોઈએ કારણ કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ન આવી શકે. જો ભારત નહીં આવે તો તે યોગ્ય નથી, પરંતુ જો સ્થળ બદલાશે તો સૌથી પહેલા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે.'

રાવલપિંડીમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ મેચ દરમિયાન પીસીબી ચીફે કહ્યું કે 'અમે ટૂર્નામેન્ટની યજમાની કરવા માટે મરી રહ્યા નથી. અમને ભીખ હોસ્ટિંગ રાઇટ્સ ભીખમાં મળ્યા નથી. ICCની ન્યાયી પ્રક્રિયાથી અમને એશિયા કપની યજમાનીની જવાબદારી મળી છે.'

2023 એશિયા કપ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે. આ પછી ઓક્ટોબરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. વન-ડે વર્લ્ડ કપને કારણે આ વખતે એશિયા કપ 20 ઓવરની જગ્યાએ 50 ઓવરનો હશે. છેલ્લો એશિયા કપ ઓગસ્ટ 2022માં UAEમાં યોજાયો હતો. જોકે તેના હોસ્ટિંગ રાઇટ્સ શ્રીલંકાની પાસે હતા. તેમના દેશમાં આવેલી રાજકીય કટોકટીના કારણે સ્થળ બદલવું પડ્યું હતું.

એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે કહ્યું હતું કે રાજકીય કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જઈ શકે. એશિયા કપના હોસ્ટિંગ રાઇટ્સ પાકિસ્તાન પાસે છે, પરંતુ ટૂર્નામેન્ટનું સ્થાન બદલીને તટસ્થ સ્થળોએ પણ મેચ યોજી શકાય છે. જય શાહ BCCIના સેક્રેટરી પણ છે.

પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ પણ નહીં રમે!
જય શાહના નિવેદન પછી ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે 'ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીને પાકિસ્તાન મોકલવા અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલયની પરવાનગી પછી જ લેવામાં આવશે.' આ પછી PCB ચીફે કહ્યું હતું કે, 'જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં નહીં રમે.'

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow