યજમાની છીનવી તો પાકિસ્તાન એશિયા કપ નહિ રમે!

યજમાની છીનવી તો પાકિસ્તાન એશિયા કપ નહિ રમે!

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું છે કે 'જો 2023 એશિયા કપ પાકિસ્તાનમાં નહીં યોજાય તો તેમની ટીમ ટૂર્નામેન્ટ નહીં રમે. ટૂર્નામેન્ટનું સ્થળ માત્ર એટલા માટે ન બદલવું જોઈએ કારણ કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન ન આવી શકે. જો ભારત નહીં આવે તો તે યોગ્ય નથી, પરંતુ જો સ્થળ બદલાશે તો સૌથી પહેલા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેશે.'

રાવલપિંડીમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ટેસ્ટ મેચ દરમિયાન પીસીબી ચીફે કહ્યું કે 'અમે ટૂર્નામેન્ટની યજમાની કરવા માટે મરી રહ્યા નથી. અમને ભીખ હોસ્ટિંગ રાઇટ્સ ભીખમાં મળ્યા નથી. ICCની ન્યાયી પ્રક્રિયાથી અમને એશિયા કપની યજમાનીની જવાબદારી મળી છે.'

2023 એશિયા કપ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં યોજાવાનો છે. આ પછી ઓક્ટોબરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાશે. વન-ડે વર્લ્ડ કપને કારણે આ વખતે એશિયા કપ 20 ઓવરની જગ્યાએ 50 ઓવરનો હશે. છેલ્લો એશિયા કપ ઓગસ્ટ 2022માં UAEમાં યોજાયો હતો. જોકે તેના હોસ્ટિંગ રાઇટ્સ શ્રીલંકાની પાસે હતા. તેમના દેશમાં આવેલી રાજકીય કટોકટીના કારણે સ્થળ બદલવું પડ્યું હતું.

એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે કહ્યું હતું કે રાજકીય કારણોસર ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જઈ શકે. એશિયા કપના હોસ્ટિંગ રાઇટ્સ પાકિસ્તાન પાસે છે, પરંતુ ટૂર્નામેન્ટનું સ્થાન બદલીને તટસ્થ સ્થળોએ પણ મેચ યોજી શકાય છે. જય શાહ BCCIના સેક્રેટરી પણ છે.

પાકિસ્તાન વન-ડે વર્લ્ડ કપ પણ નહીં રમે!
જય શાહના નિવેદન પછી ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે 'ટીમ ઈન્ડિયાના કોઈપણ ખેલાડીને પાકિસ્તાન મોકલવા અંગેનો નિર્ણય ગૃહ મંત્રાલયની પરવાનગી પછી જ લેવામાં આવશે.' આ પછી PCB ચીફે કહ્યું હતું કે, 'જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો પાકિસ્તાન પણ ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં નહીં રમે.'

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow