પાકિસ્તાનઃ શરીફ સરકારની સીમાંકનની આડમાં ચૂંટણી મુલતવી રાખવાની પેરવી

પાકિસ્તાનઃ શરીફ સરકારની સીમાંકનની આડમાં ચૂંટણી મુલતવી રાખવાની પેરવી

ભ્રષ્ટાચારના મામલામાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને જેલમાં મોકલ્યા બાદ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે જાળ બિછાવી દીધી છે. વડાપ્રધાન શાહબાઝ કહી ચૂક્યા છે કે તેઓ 9મી ઓગસ્ટ એટલે કે બુધવારે સંસદ ભંગ કરશે. નિયમો અનુસાર જો સંસદ સમય પહેલાં ભંગ થાય તો 90 દિવસની અંદર ચૂંટણી યોજવી પડશે, પરંતુ સરકારે ચૂંટણીને પણ મોકૂફ રાખવાની તૈયારી કરી લીધી છે.

મંત્રી રાણા સનાઉલ્લાહ અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે. તેમણે ધ્યાન દોર્યું કે સામાન્ય હિતોની પરિષદ દ્વારા નવી વસ્તીગણતરીને મંજૂરી આપ્યા પછી પાકિસ્તાનના ચૂંટણીપંચ (ઈસીપી)ને નવેસરથી મતવિસ્તારોનું સીમાંકન કરવાની જરૂર છે. ત્યારે દેશમાં સામાન્ય ચૂંટણી આવતાં વર્ષે માર્ચ સુધી સ્થગિત થઈ શકે છે. સંસદ ભંગ સાથે દેશમાં કાર્યવાહક સરકારની રચના થશે. કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક અંગે સનાઉલ્લાહે કહ્યું કે વચગાળાના મુખ્ય કાર્યકારી માટે કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, ‘એમક્યૂએમ-પીએ આ પદ માટે કામરાન ટેસોરીના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.

ઇમરાનની રાજકીય કારકિર્દી ખતમ કરવા અને સત્તામાં રહેવા માટેનું એક કાવતરું
પાકિસ્તાનમાં સત્તારૂઢ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (પીડીએમ) સરકારે સત્તામાં કાયમ રહેવા માટે સંસદ ભંગ કરવાનું કાવતરું ઘડ્યું છે. તેમાં સેનાની પણ મદદ લેવામાં આવી છે. આ સમયે વસતીગણતરીના અહેવાલનો સ્વીકાર એ ષડ્યંત્રની ચાલ છે. તેનાં ત્રણ પાસાં છે- એક વચગાળાની સરકાર સ્થાપિત થશે, જેની પાસે મર્યાદિત સત્તા હશે. આ સાથે તેઓ દાવા સાથે એમ પણ કહેશે કે મતવિસ્તારોના સીમાંકન વિના ચૂંટણી યોજી શકાશે નહીં. આવી સ્થિતિમાં ઓછામાં ઓછો 6 મહિનાનો સમય લાગશે. નવા મતવિસ્તાર વગેરે બનાવવામાં સમય લાગશે. આગામી વર્ષે ફેબ્રુઆરી પછી જ ચૂંટણી યોજાશે તે નિશ્ચિત છે. બીજું પાસું સરકારનો ઈરાદો. હાલ મામલો સરકાર અને સેના વિરુદ્ધનો છે. જ્યારે ઈમરાન ખાન લોકપ્રિયતાની ટોચ પર છે. ઈમરાનના પક્ષને શાંત કરવા માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

તેમના લોકશાહીતરફી આંદોલનને કચડીને સરકારે રાજકીય દાવનો અંત લાવવાની તૈયારી કરી લીધી છે. સરકારના કહેવા પ્રમાણે, જો વાત ન બને તો ઈમરાનને દેશદ્રોહના કેસમાં ફાંસી પણ થઈ શકે છે. ત્રીજું પાસું દેશમાં વધતી અસ્થિરતા છે. હવે ઈમરાન માટે જેલમાંથી બહાર આવવું શક્ય નથી. જો જેલમાં રહીને પણ તેના માટે સમર્થન ચાલુ રહેશે તો ખૈબર પખ્તુનખ્વા સહિત અન્ય રાજ્યોમાં આંદોલનો ભડકી શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow