ભારતમાં રિફાઈનિંગની શરતે પાક.ને રશિયન ક્રૂડ મળ્યું

ભારતમાં રિફાઈનિંગની શરતે પાક.ને રશિયન ક્રૂડ મળ્યું

કરાચીમાં રવિવારે રશિયન ક્રૂડનો જથ્થો ઉતર્યો. વડાપ્રધાન શાહબાઝ શરીફે ગર્વ સાથે પાકિસ્તાની પ્રજાને કહ્યું કે રશિયા સાથે એક લાખ ટન ક્રૂડની ડીલ થઈ છે. તેમાંથી 45 હજાર ટનનો પહેલો જથ્થો અમને મળી ગયો છે. જોકે શરીફે એ ના જણાવ્યું કે આ ક્રૂડ પાકિસ્તાનને કઈ શરતોએ મળ્યું છે? ક્યાં રિફાઈન થયું છે? પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યું?

તબક્કાવાર તપાસ કરી ત્યારે ખબર પડી કે રશિયાએ 20% ઓછી કિંમતે ક્રૂડ એ શરતે આપ્યું છે કે, રિફાઈનિંગ ભારતમાં જ કરાવવું પડશે અને ચુકવણી ચાઈનીઝ કરન્સી યુઆનમાં કરવાની રહેશે. લાંબા સમયથી સસ્તું ક્રૂડ મેળવવાનો પ્રયાસ કરતી પાકિસ્તાન સરકારે બંને શરત માની લીધી પરંતુ આ વાત જાહેર ના કરાઈ. એટલે ભારતમાં ગુજરાતસ્થિત વાડીનાર રિફાઈનરીમાં ક્રૂડ ઓઈલ રિફાઈન્ડ કર્યા પછી તે યુએઈના માર્ગે કરાચી મોકલાયું. ત્યાં પહોંચતા જ પાકિસ્તાન સરકારે ઉપરોક્ત જાહેરાત કરી.

કરાચી પહોંચનારું રશિયન ક્રૂડ 8-9 મેની રાતે રશિયાના પ્રિમોરસ્ક (બાલ્ટિક સમુદ્ર)માં કેરોલિન બેન્ગાઝી ક્રૂડ ઓઈલ ટેન્કરમાં લોડ કરાયું. તેનો કાર્ગો આઈએમઓ નં. 9224436 હતો. આ શિપમેન્ટ ગુજરાતના વાડીનાર બંદરે પહોંચ્યું. ત્યાંથી 6 જૂને તે ફરી કાર્ગો આઈએમઓ નં. 9259886 હેઠળ કરાચી માટે રવાના થયું અને 11 જૂને ત્યાં પહોંચ્યું. રશિયન ક્રૂડનો બીજો જથ્થો પણ રશિયાથી રવાના થઈ ચૂક્યો છે. તેનો આઈએમઓ નં. 9310525 છે. આ જથ્થો સીધો પાકિસ્તાન નહીં પહોંચે. તેમાં 55 હજાર ટન ક્રૂડ લોડ કરાયેલું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow