પાર્ટી નેતૃત્વનો નારાજ સાંસદોને મનાવવા પ્રયાસ

પાર્ટી નેતૃત્વનો નારાજ સાંસદોને મનાવવા પ્રયાસ

બ્રિટનમાં 5 સપ્ટેમ્બરે વડાપ્રધાન બનેલાં લિઝ ટ્રસને તેમની પાર્ટીએ 24 ઓક્ટોબર સુધી પદ છોડવા અલ્ટિમેટમ આપી દીધું છે. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ તેમને પીએમ પદ માટે અયોગ્ય ગણાવતા કહ્યું કે ટ્રસે દોઢ મહિના પહેલાં જે વાયદા કર્યા હતા તેનાથી યુ-ટર્ન મારી લીધો છે એટલા માટે તેમણે પદ છોડી દેવું જોઈએ.

તેમની પાર્ટીના 100 સાંસદોના જૂથે સોમવારે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. સાથે જ લિઝ વિરુદ્ધ અવિશ્વાસપત્ર ગ્રાહમ બ્રેન્ડીને સોંપ્યો હતો. બ્રેન્ડી પાર્ટીની એક સમિતિના પ્રમુખ છે જે નેતાની ચૂંટણી યોજે છે. આ સમિતિએ 6 અઠવાડિયાં પહેલાં લિઝને પાર્ટીના લીડર તરીકે ચૂંટ્યાં હતાં ત્યારે ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ પદની રેસમાં પાછળ રહી ગયા હતા. તેમણે નાણામંત્રી પદ પણ છોડી દીધું હતું. હવે તે ફરીથી દાવેદાર બનીને ઉભર્યા છે.

ખરેખર કન્ઝર્વેટિવ પાર્ટીએ લિઝ વિરુદ્ધ આ અભિયાન એટલા માટે શરૂ કર્યું છે કેમ કે તેમણે ટેક્સમાં ઘટાડાના પોતાના મુખ્ય વાયદાથી યુ-ટર્ન લઈ લીધો છે. તેનાથી પાર્ટીની છબિ ખરડાઈ રહી છે.

હવે પાર્ટીના સાંસદોના એક મોટા જૂથને એવું લાગે છે કે સુનકને વડાપ્રધાન બનાવી સરકાર તેની લાજ બચાવી શકે છે. સુનક નાણામંત્રી રહી ચૂક્યા છે. લિઝ પદેથી હટશે તો જેરેમી હન્ટને પણ પીએમ બનવાની તક મળી શકે છે. હન્ટ નાણામંત્રી છે. સોમવારે તેમણે ગત દિવસોમાં કરાયેલા તમામ પ્રકારના ટેક્સ ઘટાડાને પાછા ખેંચી લીધા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow