પારિવારિક બચત ચાલુ વર્ષે 19 ટકા ઘટી

પારિવારિક બચત ચાલુ વર્ષે 19 ટકા ઘટી

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક સંકટના કારણે દેશમાં પારિવારિક બચતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થવાને કારણે અચાનક અટકેલી માંગને કારણે વધતી જતી મોંઘવારીની અસર પરિવારની બચત પર પડી છે.

નાણાકીય વર્ષ 2021-22માં કૌટુંબિક બચતમાં 19%નો ઘટાડો થયો જ્યારે 2020-21માં તે 31.3 ટકા વધી હતી. કોવિડ રોગચાળાની તુલનામાં પાછલા બે વર્ષમાં કુટુંબની બચત માત્ર 6.3% વધી છે. દરમિયાન બેંક ડિપોઝિટમાં ઘટાડો થયો છે પરંતુ ઇક્વિટી જેવી સંપત્તિઓના રોકાણમાં ઝડપી વધારો થયો છે.

બેંક ઓફ બરોડાના રિસર્ચ એનાલિસ્ટ અદિતિ ગુપ્તાના જણાવ્યા અનુસાર 2020-21માં ફેમિલી સેવિંગ્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકડાઉનના કારણે થોડા મહિનાઓ માટે સુસ્ત વપરાશ હતો. જેના કારણે લોકોની આવકમાં બચતનો હિસ્સો વધ્યો છે. પરંતુ ગત નાણાકીય વર્ષમાં પારિવારિક બચતમાં થયેલો ઘટાડો પણ કાયમી નથી. ટ્રેડિંગ ઇકોનોમિક્સ અનુસાર આ વર્ષે વ્યક્તિગત બચત વધીને28468 પહોંચી છે.

બચતમાં બેન્ક ડિપોઝિટનો હિસ્સો ગત વર્ષ કરતા 9 ટકા ઘટ્યો

રસપ્રદ વાત એ છે કે 2021-22 દરમિયાન કુલ કુટુંબ બચતમાં ડિપોઝીટ્સનો હિસ્સો ઘટીને 27.2% થયો હતો. આ 2020-21ની સ્થિતિ કરતાં લગભગ 9% ઓછું છે. તેનું સૌથી મોટું કારણ વ્યાજના રૂપમાં ઓછી કમાણી છે. FDમાં વ્યાજ ઓછુ મળી રહ્યું હોવાની અસર છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow