વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ

વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ

વડોદરાના સોની બજાર અને અાંગળીયા પેઢી ઉપર 15 દિવસથી ચૂંટણીની આચારસંહિતાની માઠી અસર વર્તાઇ છે. ચેકિંગ માટેની ટીમોના ડરે સોની બજારો પાંખી હાજરી પામ્યા છે. લગ્નસરાની સિઝનમાં હાલત કફોડી છે. આંગડિયાના કર્મચારીઓ રાજકોટ, અમદાવાદ અને સુરતથી ડિલિવરી આપવા આવતા અચકાતા સોનીઓએ ગ્રાહકોને વાયદા કરવાની નોબત આવી છે. આંગડિયાના રોજના ચારથી સાડા ચાર કરોડ રૂપિયાના કારોબાર પર અસર પડી છે. ન્યાયમંદિર, સરદારભવનનો ખાંચો સહિત વિસ્તારમાં 50 જેટલી આંગડિયા પેઢી છે.

અગ્રણી આંગડિયાના સંચાલકે કહ્યું કે, વડોદરામાં 80 ટકા વ્યવહોરો બંધ છે. લગ્નસરાની સિઝન છે. ચેકિંગની બબાલમાં ગ્રાહકો પડવા માંગતા નથી. આવવાનું ટાળી રહ્યાં છે. બહારગામના વેપારીઓએ માલ મોકલવાનો નન્નો ભણી દીધો છે. ધંધો ઠપ છે.’ ઘડિયાળી પોળ સોની એસો.ના કનુભાઇ સોની કહે છે કે, ‘હજી વેપારીઓને વડોદરામાં કનડગતનો કિસ્સો બહાર આવ્યો નથી. અમદાવાદ અને સુરત મોકલાતા દાગીના રિપેરિંગ માટે જે મોકલ્યા હતા તે, રાજકોટ અપાયેલા નવા ઓર્ડરો વેપારીઓ મોકલતાં નથી. જેથી સોની બજાર પણ લગભગ ઠપ છે. ગ્રાહકોને વાયદાઓ આપવા પડી રહ્યાં છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow