Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ

Gujaratnow1 min read
વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ

વડોદરાના સોની બજાર અને અાંગળીયા પેઢી ઉપર 15 દિવસથી ચૂંટણીની આચારસંહિતાની માઠી અસર વર્તાઇ છે. ચેકિંગ માટેની ટીમોના ડરે સોની બજારો પાંખી હાજરી પામ્યા છે. લગ્નસરાની સિઝનમાં હાલત કફોડી છે. આંગડિયાના કર્મચારીઓ રાજકોટ, અમદાવાદ અને સુરતથી ડિલિવરી આપવા આવતા અચકાતા સોનીઓએ ગ્રાહકોને વાયદા કરવાની નોબત આવી છે. આંગડિયાના રોજના ચારથી સાડા ચાર કરોડ રૂપિયાના કારોબાર પર અસર પડી છે. ન્યાયમંદિર, સરદારભવનનો ખાંચો સહિત વિસ્તારમાં 50 જેટલી આંગડિયા પેઢી છે.

અગ્રણી આંગડિયાના સંચાલકે કહ્યું કે, વડોદરામાં 80 ટકા વ્યવહોરો બંધ છે. લગ્નસરાની સિઝન છે. ચેકિંગની બબાલમાં ગ્રાહકો પડવા માંગતા નથી. આવવાનું ટાળી રહ્યાં છે. બહારગામના વેપારીઓએ માલ મોકલવાનો નન્નો ભણી દીધો છે. ધંધો ઠપ છે.’ ઘડિયાળી પોળ સોની એસો.ના કનુભાઇ સોની કહે છે કે, ‘હજી વેપારીઓને વડોદરામાં કનડગતનો કિસ્સો બહાર આવ્યો નથી. અમદાવાદ અને સુરત મોકલાતા દાગીના રિપેરિંગ માટે જે મોકલ્યા હતા તે, રાજકોટ અપાયેલા નવા ઓર્ડરો વેપારીઓ મોકલતાં નથી. જેથી સોની બજાર પણ લગભગ ઠપ છે. ગ્રાહકોને વાયદાઓ આપવા પડી રહ્યાં છે.

Gujaratnow1 min read

Related News