અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકોએ ગણેશની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવા આવેદન આપ્યું

અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકોએ ગણેશની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવા આવેદન આપ્યું

અંકલેશ્વર શહેરના ગણેશ મંડળોના આયોજકોએ ગણપતિની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવાની પરવાનગી માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવ્યા બાદ પ્રતિમાઓની દયનીય હાલતમાં રહેતા ધાર્મિક લાગણી દુભાય છે. જેથી નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા મંજુરી અને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળોના આયોજકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તાર અને સોસાયટીઓના ગણોત્સવ આયોજક મંડળો દ્વારા ભગવાન ગણપતિની સ્થાપના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસેથી તમામ મંજૂરી લેવામાં આવી રહી છે, જો કે તંત્ર દ્વારા નર્મદા નદીમાં ગણપતિની કોઈ પણ પ્રતિમા વિસર્જન કરવા મનાઈ ફરમાવી છે. જોકે વહીવટી તંત્રના દ્વારા કુત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓ વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકો દ્વારા વર્ષોની પરંપરા મુજબ નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow