ગુજરાતની સાબરમતી જેલના સુરંગકાંડમાં 24 આરોપીઓ સામે આરોપ ઘડવા આદેશ

ગુજરાતની સાબરમતી જેલના સુરંગકાંડમાં 24 આરોપીઓ સામે આરોપ ઘડવા આદેશ

અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરાર થવા માટે 200 ફૂટની સુરંગ ખોદી હતી. આ સમયે તેમનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો. આ બાબતે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીના અનુસંધાને હાઈકોર્ટે 24 આરોપીઓ સામે આરોપનામું ઘડીને કેસ ચલાવવા માટે મંજુરી આપી દીધી છે. આ કેસમાં 14 આરોપીઓને સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.

હાઈકોર્ટમાં સુરંગકાંડના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી
હાઈકોર્ટના જસ્ટીટ વેભવી નાણાવટીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 24 કેદીઓ સામે પ્રથમદર્શી કેસ બને છે. આ તબક્કે રાજ્યના કેદીના સંદર્ભમાં પુરાવાની તપાસ કર્યા વિના આરોપીઓને આરોપો અને તેમની સામે મૂકવામાં આવેલા આરોપોમાંથી મુક્ત કરી શકાય તેમ નથી. સેશન્સ કોર્ટ પ્રથમ તબક્કે એવું કહી શકે નહીં કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 227 હેઠળ આરોપ ઘડવાનો હોય છે.

સાબરમતી જેલમાં 2013માં સુરંગ ખોદાઈ હતી
16 એપ્રિલ 2016ના રોજ અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા સુરંગ ખોદવાના કેસમાં તમામ 24 આરોપીઓને મુક્ત કરવાના આદેશને પડકારતી રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી હતી.2013માં એક જેલ અધિકારીને સાબરમતી જેલમાં ખોદવામાં આવેલી સુરંગ જોવા મળી હતી. ત્યાર બાદ 24 કેદીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બીજી બાજુ અન્ય આરોપો ઉપરાંત 130ની કલમ 14 કેદીઓ આતંકવાદી હોવાના આરોપોનો સામનો કરી રહ્યા હતાં એ આધાર પર લગાવવામાં આવી હતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow