ધોરણ 1-2ની માત્ર મૌખિક પરીક્ષા લેવાશે, 20 એપ્રિલ સુધી શાળાઓમાં પરીક્ષાનો માહોલ

ધોરણ 1-2ની માત્ર મૌખિક પરીક્ષા લેવાશે, 20 એપ્રિલ સુધી શાળાઓમાં પરીક્ષાનો માહોલ

રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તારીખ 3 એપ્રિલને સોમવારથી શરૂ થઇ રહી છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 3થી 8ના કુલ અંદાજિત 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી પોતાની જ સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા આપશે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓની માત્ર મૌખિક પરીક્ષા જ લેવામાં આવે છે જ્યારે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આગામી તારીખ 20 એપ્રિલ સુધી પરીક્ષાનો માહોલ રહેશે.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, સોમવારથી રાજકોટ જિલ્લામાં પ્રાથમિકની ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની તમામ સુવિધા-વ્યવસ્થા શાળાઓમાં કરવામાં આવી છે.

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અંદાજે દોઢ લાખ અને ખાનગી શાળાઓના પણ દોઢ લાખથી વધુ સહિત કુલ 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજથી વાર્ષિક પરીક્ષા આપશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો સમય સવારે 8 વાગ્યાનો રખાયો છે. ધોરણ-3માં આજે ગણિતનું પેપર લેવામાં આવનાર છે જ્યારે મંગળવારે ગુજરાતીનું પેપર લેવાશે. જ્યારે ધોરણ 4 અને 5માં આજે ગણિત, બુધવારે ગુજરાતી, ગુરુવારે પર્યાવરણ, શનિવારે હિન્દી અને 10મીએ અંગ્રેજીનું પેપર લેવાશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow