રાજકોટમાં માત્ર 3% લોકો સિટીબસમાં મુસાફરી કરે છે

રાજકોટમાં માત્ર 3% લોકો સિટીબસમાં મુસાફરી કરે છે

આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા. રંગીલું રાજકોટ પણ આ સમસ્યામાંથી બાકાત નથી. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે લોકો અન્ય વિકલ્પો વિશે વિચારે તે સ્વભાવિક છે અને તેમાં સૌથી પહેલો વિકલ્પ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિચારે તેમાં બેમત નથી, પરંતુ રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા જરૂરિયાતના પ્રમાણમાં માત્ર 5 ટકા જ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે અને તેના પરિણામે દરરોજ માત્ર ત્રણ ટકા લોકો જ આ સુવિધાનો લાભ લઇ શકે છે. જો કે એ પણ હકીકત છે કે, રંગીલા રાજકોટના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લાભ લેવામાં પણ નિરસ છે.

મુંબઇ જેવા મેટ્રો શહેરમાં 52 ટકા મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. અમદાવાદ જેવા શહેરમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા 12 ટકા કરતા વધુ છે. જ્યારે રાજકોટ શહેરમાં આ સંખ્યા માત્ર ત્રણ ટકા જેટલી જૂજ છે. જેના માટે નાગરિકો મુસાફરી માટે તૈયાર ન હોવાનો તંત્ર દાવો કરે છે જે સદંતર ખોટો છે. હકીકત એ છે કે, રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની જે સુવિધા હોવી જોઇએ તે તદ્દન પાંખી છે. સામાન્ય રીતે 1000ની વસતીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 1 બસની સુવિધા હોવી જોઇએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow