એશિયાની માત્ર 2 ટીમ ટાઈટલની રેસમાં આગળ

એશિયાની માત્ર 2 ટીમ ટાઈટલની રેસમાં આગળ

આઠમાં ટી-20 વર્લ્ડ કપનો 16મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો રમશે. 16 થી 21 ઓક્ટોબરે 8 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જેમાંથી 4 ટીમ સુપર-12 રાઉન્ટમાં પહોંચશે. મોટી ટીમો તે રાઉન્ડમાં પહેલા જ પહોંચી ચૂકી છે. ગ્રૂપ-1ને ડેથ ગ્રૂપ મનાય છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. ગ્રૂપ-2માં ભારત, પાકિસ્તાન, દ.આફ્રિકા, બાંગ્લાદેશ છે. ગત વર્લ્ડ કરતા સમીકરણો ઘણા બદલાયા છે, કારણ કે- હવે યુએઈની જેમ ધીમી પિચો પર વર્લ્ડ કપ નથી રમાવવાનો. ઓસ્ટ્રેલિયાની પેસ અને બાઉન્સવાળી પિચો ઘણી અલગ રહેશે.

ગત વર્ષે પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ આ વખતે પણ જીતની પ્રબળ દાવેદાર છે. ટી-20 રેન્કિંગમાં ભલે ટીમ ટોપ-5માં પણ નથી, પરંતુ શાનદાર બોલિંદ અટેકને કારણે ટીમને ઘરઆંગણે રમવાનો સંપૂર્ણ ફાયદો મળશે. ટીમે આ વર્ષે 15 માંથી 9 ટી-20 મેચ જીતી છે, જ્યારે 5 હારી છે. હાલમાં વિન્ડીઝને ઘરઆંગણે 2-0થી હરાવ્યું. આ ઉપરાંત ટોચના ખેલાડીઓ વિના ભારતને તેના ઘરઆંગણે ટક્કર આપી. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે 5 માંથી 4 સીરિઝ પર કબ્જો કર્યો છે.

ઈંગ્લેન્ડ ટીમ 2010 બાદ ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતી શકી નથી. રેન્કિંગમાં બીજા ક્રમે છે. ગતવર્ષે સેમિફાઈનલમાં બહાર થનારી ટીમ પાસે બટલર તરીકે આ વખતે નવો કેપ્ટન છે. પોતાના અંતિમ વન-ડે વર્લ્ડ કપમાં ટીમને ચેમ્પિયન બનાવનાર સ્ટોક્સ ટીમમાં પરત ફર્યો છે. હાલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના ઘરઆંગણે 4-3થી હરાવ્યું હતું. આ સાથે પર્થમાં જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયામાં ટી-20 જીતનો 11 વર્ષનો દુકાળનો અંત કર્યો, જે પછીટાઈટલ જીતવાની દાવેદારી વધુ મજબૂત થઈ રહી છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow