ન્યૂયોર્કમાં એક લાખ લોકો ગેરકાયદે ઘૂસ્યા

ન્યૂયોર્કમાં એક લાખ લોકો ગેરકાયદે ઘૂસ્યા

દુનિયાભરમાંથી લોકો અમેરિકા પહોંચવાના કારણે અમેરિકન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે જ્યાં એક લાખથી વધુ ગેરકાયદેસર પહોંચેલા પ્રવાસીઓને કારણે શહેરમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વભરમાંથી શરણાર્થીઓના ધસારાને કારણે ન્યૂયોર્કમાં બેઘર લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ન્યૂયોર્કની રુઝવેલ્ટ હોટલમાં લાગેલા રાહત કેમ્પમાં પ્રવેશવા માટે ઘણા લોકો દિવસ-રાત લાઈન લગાવી રહ્યા છે.

હોટલથી ગ્રાન્ડ ટર્મિનલ સેન્ટર સુધીની ફૂટપાથ પર 200થી વધુ ગેરકાયદેસર વસાહતીઓ રહે છે. આ બેઘર લોકો ત્યાં જ ખાય-પીએ છે અને રાત્રે ત્યાં સૂઈ જાય છે. જેમાં કોલંબિયા, ચાડ, બુરુન્ડી, પેરુ, વેનેઝુએલા અને મેડાગાસ્કરના રહેવાસીઓ સામેલ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેઓ તેમના માથા નીચે બેગ રાખી કાર્ડ બોર્ડ પર ઊંઘે છે. અહીં રહેતા ઘણા લોકો ભોજન માટે મફત ફૂડ પેકેટ પર આધાર રાખે છે.

મહિનાઓ સુધી મુસાફરી કરી તો, અઠવાડિયા સુધી લાઇનમાં ઊભા રહ્યા
પશ્ચિમ આફ્રિકાના મોરિટાનિયાના 20 વર્ષીય મોહમ્મદઉ સિદિયા ડિજિટલ અનુવાદ દ્વારા અરબીમાં કહે છે કે તેનો એક મિત્ર છે. તે કહે છે કે અહીં સુધી પહોંચવા માટે તેણે એક મહિનાથી વધુ સમયની મુસાફરી કરી છે. તેઓ કહે છે કે અમે અહીં રક્ષણ માટે આવ્યા છીએ પરંતુ નિષ્ફળ ગયા છીએ.

વેનેઝુએલાના એરિક માર્કાનો છેલ્લા અઠવાડિયાથી અહીં રાહત શિબિરમાં પ્રવેશ પાસની રાહ જોઈ રહ્યા છે પરંતુ કહે છે કે લાઇન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એરિક વ્યવસાયે મજૂર છે. ભારે ગરમીથી બચવા તે કાર્ડબોર્ડનો સહારો લે છે. એરિક થોડા દિવસો પહેલાં બોર્ડર ક્રોસ કરીને ન્યૂયોર્ક આવ્યો હતો. તે કહે છે કે રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી.

રાજકારણ: મેયરે કહ્યું- પૂરતી મદદ મળી રહી છે
રાહત શિબિરમાં જગ્યા નથી, તેથી વહીવટીતંત્રે ટેન્ટ લગાવ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકોને અન્ય જગ્યાએ રહેવા માટે ટિકિટ પણ આપવામાં આવી છે. પરંતુ આ બધું પૂરતું નથી. ન્યૂયોર્કનું કહેવું છે કે આ સંકટમાંથી બહાર આવવા માટે 34 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી માત્ર 248 કરોડ રૂપિયા જ મળ્યા છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow