ન્યૂયોર્કમાં એક લાખ લોકો ગેરકાયદે ઘૂસ્યા

ન્યૂયોર્કમાં એક લાખ લોકો ગેરકાયદે ઘૂસ્યા

દુનિયાભરમાંથી લોકો અમેરિકા પહોંચવાના કારણે અમેરિકન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરનો મામલો ન્યૂયોર્કનો છે જ્યાં એક લાખથી વધુ ગેરકાયદેસર પહોંચેલા પ્રવાસીઓને કારણે શહેરમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. છેલ્લા એક વર્ષમાં વિશ્વભરમાંથી શરણાર્થીઓના ધસારાને કારણે ન્યૂયોર્કમાં બેઘર લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ન્યૂયોર્કની રુઝવેલ્ટ હોટલમાં લાગેલા રાહત કેમ્પમાં પ્રવેશવા માટે ઘણા લોકો દિવસ-રાત લાઈન લગાવી રહ્યા છે.

હોટલથી ગ્રાન્ડ ટર્મિનલ સેન્ટર સુધીની ફૂટપાથ પર 200થી વધુ ગેરકાયદેસર વસાહતીઓ રહે છે. આ બેઘર લોકો ત્યાં જ ખાય-પીએ છે અને રાત્રે ત્યાં સૂઈ જાય છે. જેમાં કોલંબિયા, ચાડ, બુરુન્ડી, પેરુ, વેનેઝુએલા અને મેડાગાસ્કરના રહેવાસીઓ સામેલ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેઓ તેમના માથા નીચે બેગ રાખી કાર્ડ બોર્ડ પર ઊંઘે છે. અહીં રહેતા ઘણા લોકો ભોજન માટે મફત ફૂડ પેકેટ પર આધાર રાખે છે.

મહિનાઓ સુધી મુસાફરી કરી તો, અઠવાડિયા સુધી લાઇનમાં ઊભા રહ્યા
પશ્ચિમ આફ્રિકાના મોરિટાનિયાના 20 વર્ષીય મોહમ્મદઉ સિદિયા ડિજિટલ અનુવાદ દ્વારા અરબીમાં કહે છે કે તેનો એક મિત્ર છે. તે કહે છે કે અહીં સુધી પહોંચવા માટે તેણે એક મહિનાથી વધુ સમયની મુસાફરી કરી છે. તેઓ કહે છે કે અમે અહીં રક્ષણ માટે આવ્યા છીએ પરંતુ નિષ્ફળ ગયા છીએ.

વેનેઝુએલાના એરિક માર્કાનો છેલ્લા અઠવાડિયાથી અહીં રાહત શિબિરમાં પ્રવેશ પાસની રાહ જોઈ રહ્યા છે પરંતુ કહે છે કે લાઇન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે. એરિક વ્યવસાયે મજૂર છે. ભારે ગરમીથી બચવા તે કાર્ડબોર્ડનો સહારો લે છે. એરિક થોડા દિવસો પહેલાં બોર્ડર ક્રોસ કરીને ન્યૂયોર્ક આવ્યો હતો. તે કહે છે કે રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી.

રાજકારણ: મેયરે કહ્યું- પૂરતી મદદ મળી રહી છે
રાહત શિબિરમાં જગ્યા નથી, તેથી વહીવટીતંત્રે ટેન્ટ લગાવ્યા છે. અનેક સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકોને અન્ય જગ્યાએ રહેવા માટે ટિકિટ પણ આપવામાં આવી છે. પરંતુ આ બધું પૂરતું નથી. ન્યૂયોર્કનું કહેવું છે કે આ સંકટમાંથી બહાર આવવા માટે 34 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી માત્ર 248 કરોડ રૂપિયા જ મળ્યા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow