મોરના એક પીંછાથી ઘરમાંથી દૂર થઈ જશે એક-બે નહીં ચાર મોટી સમસ્યા, નહીં રહે ધન-વિદ્યાની ચિંતા

મોરના એક પીંછાથી ઘરમાંથી દૂર થઈ જશે એક-બે નહીં ચાર મોટી સમસ્યા, નહીં રહે ધન-વિદ્યાની ચિંતા

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ સહિત ભગવાન ગણેશ, કાર્તિકેય અને ઇન્દ્રદેવનીને મોર પંખ ખૂબ પ્રિય છે. વાસ્તુ અનુસાર ઘરમાં મોર પંખ મુકવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન-ધાન્યનો પણ લાભ થાય છે. એવું માનવામાં આવે છે કે મોર પંખથી ઘરની નકારાત્મકતા અને દોષ પણ દૂર થાય છે.

મોર પંખનું મહત્વ એટલા માટે માનવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણ તેને તેમના મુગટ પર પહેરે છે. ત્યાં જ પક્ષીઓમાં સૌથી સુંદર માનવામાં આવતો મોર પણ ભગવાન કાર્તિકેયની સવારી છે. આ સિવાય મોર પંખનો સંબંધ દેવી લક્ષ્મી અને સરસ્વતી સાથે પણ છે, તેથી એવું માનવામાં આવે છે કે તેને નજીકમાં રાખવાથી ધન અને વિદ્યા બંને મળે છે. આવો જાણીએ મોર પંખ સાથે સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો વિશે.

દૂર થશે ધનની કમી
જો તમે લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, અથવા પૈસા તમારી પાસે ટકી રહ્યા નથી તો ઘરમાં મોર પંખ ચોક્કસ લગાવો. એવું માનવામાં આવે છે કે તમે ઘરમાં જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં મોર પંખ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. તમારા કાર્યસ્થળ પર મોર પંખ લગાવવું શુભ માનવામાં આવે છે.

કુંડળી દોષ થશે દૂર
વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય છે તે પોતાની સાથે મોર પંખ રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મોરના પીંછા નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સાથે જ તમામ પ્રકારના દોષોથી મુક્તિ આપે છે.

અભ્યાસમાં મળશે સફળતા
વાસ્તુ અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં મોર પંખ મુકવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારા બાળકનું મન અભ્યાસમાં નથી અથવા તેનામાં એકાગ્રતાનો અભાવ છે તો બાળકોના રૂમમાં મોર પંખ જરૂર મુકો. એવું માનવામાં આવે છે કે આનાથી તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમને ઈચ્છિત સફળતા પણ મળશે.‌

નકારાત્મક ઉર્જા આસ-પાસ પણ નહીં ભટકે
ક્યારેક એવું લાગે કે કોઈ નકારાત્મક ઉર્જા તમારી આસપાસ ફરી રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કામ બગડે છે. એવામાં હંમેશા મોર પંખ ઘરમાં રાખો. સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે હંમેશા તમારા ઘરના પ્રવેશદ્વાર પર ગણપતિની મૂર્તિની બાજુમાં મોર પંખ મૂકો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow