મોરના એક પીંછાથી ઘરમાંથી દૂર થઈ જશે એક-બે નહીં ચાર મોટી સમસ્યા, નહીં રહે ધન-વિદ્યાની ચિંતા

મોરના એક પીંછાથી ઘરમાંથી દૂર થઈ જશે એક-બે નહીં ચાર મોટી સમસ્યા, નહીં રહે ધન-વિદ્યાની ચિંતા

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ સહિત ભગવાન ગણેશ, કાર્તિકેય અને ઇન્દ્રદેવનીને મોર પંખ ખૂબ પ્રિય છે. વાસ્તુ અનુસાર ઘરમાં મોર પંખ મુકવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને ધન-ધાન્યનો પણ લાભ થાય છે. એવું માનવામાં આવે છે કે મોર પંખથી ઘરની નકારાત્મકતા અને દોષ પણ દૂર થાય છે.

મોર પંખનું મહત્વ એટલા માટે માનવામાં આવે છે કારણ કે ભગવાન કૃષ્ણ તેને તેમના મુગટ પર પહેરે છે. ત્યાં જ પક્ષીઓમાં સૌથી સુંદર માનવામાં આવતો મોર પણ ભગવાન કાર્તિકેયની સવારી છે. આ સિવાય મોર પંખનો સંબંધ દેવી લક્ષ્મી અને સરસ્વતી સાથે પણ છે, તેથી એવું માનવામાં આવે છે કે તેને નજીકમાં રાખવાથી ધન અને વિદ્યા બંને મળે છે. આવો જાણીએ મોર પંખ સાથે સંબંધિત કેટલાક વાસ્તુ નિયમો વિશે.

દૂર થશે ધનની કમી
જો તમે લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, અથવા પૈસા તમારી પાસે ટકી રહ્યા નથી તો ઘરમાં મોર પંખ ચોક્કસ લગાવો. એવું માનવામાં આવે છે કે તમે ઘરમાં જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં મોર પંખ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. તમારા કાર્યસ્થળ પર મોર પંખ લગાવવું શુભ માનવામાં આવે છે.

કુંડળી દોષ થશે દૂર
વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય છે તે પોતાની સાથે મોર પંખ રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે મોરના પીંછા નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સાથે જ તમામ પ્રકારના દોષોથી મુક્તિ આપે છે.

અભ્યાસમાં મળશે સફળતા
વાસ્તુ અનુસાર બાળકોના સ્ટડી રૂમમાં મોર પંખ મુકવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારા બાળકનું મન અભ્યાસમાં નથી અથવા તેનામાં એકાગ્રતાનો અભાવ છે તો બાળકોના રૂમમાં મોર પંખ જરૂર મુકો. એવું માનવામાં આવે છે કે આનાથી તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમને ઈચ્છિત સફળતા પણ મળશે.‌

નકારાત્મક ઉર્જા આસ-પાસ પણ નહીં ભટકે
ક્યારેક એવું લાગે કે કોઈ નકારાત્મક ઉર્જા તમારી આસપાસ ફરી રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કામ બગડે છે. એવામાં હંમેશા મોર પંખ ઘરમાં રાખો. સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે હંમેશા તમારા ઘરના પ્રવેશદ્વાર પર ગણપતિની મૂર્તિની બાજુમાં મોર પંખ મૂકો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow