ડિલીવરીના દોઢ મહિના બાદ ઊંધા લટકીને આલિયા ભટ્ટે કર્યા યોગા, પ્રશંસકોની આંખો થઇ ચાર

ડિલીવરીના દોઢ મહિના બાદ ઊંધા લટકીને આલિયા ભટ્ટે કર્યા યોગા, પ્રશંસકોની આંખો થઇ ચાર

હવે આલિયા ભટ્ટે પોતાનુ ફિટનેસ સિક્રેટ શેર કર્યુ

બોલીવુડ ડીવા આલિયા ભટ્ટ હાલમાં મધરહુડ એન્જોય કરી રહી છે. આલિયા ભટ્ટની ડિલીવરીને લગભગ દોઢ મહિનાનો સમય થયો છે. ડિલીવરી બાદ હવે આલિયા પોતાની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.

અભિનેત્રીને અવાર-નવાર જિમ આવતા-જતા જોવામાં આવે છે. તો હવે આલિયા ભટ્ટે પોતાનુ ફિટનેસ સિક્રેટ શેર કર્યુ છે.

ડિલીવરી બાદ કેવીરીતે ફિટ થઇ રહી છે આલિયા

પુત્રી રાહાના જન્મ બાદ આલિયા ભટ્ટ પોતાના ડેલી રૂટીનમાં પાછી આવી ગઇ છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે એરિયલ યોગા કરી રહી છે. ડીલીવરી બાદ આલિયાને આટલી મુશ્કેલ રીતે યોગા કરતા જોઇને પ્રશંસકો હેરાન થયા. પોસ્ટ શેર કરીને આલિયા લખે છે,

'ડિલીવરીના દોઢ મહિના બાદ ધીરે-ધીરે પોતાની કોરની સાથે કનેક્શન બનાવી રહી છુ. @anshukayogની ફૂલ ગાઈડન્સમાં આજે મેં આ ટ્રાય કર્યુ. બધી માતાઓને મારું કહેવુ છે કે ડિલીવરી બાદ પોતાના શરીરની પસંદગી કરો. એવુ કઈ પણ ના કરશો, જે તમારું શરીર કરવાની મંજૂરી ના આપે.'  આલિયાની ટ્રેનરે પણ સોશિયલ મીડિયામાં તેમનો યોગ કરતો વીડિયો શેર કર્યો.

આલિયા જણાવે છે કે પહેલા બે અઠવાડિયા મેં વર્કઆઉટ દરમ્યાન માત્ર શ્વાસ લીધો. વૉક કરી. પોતાની સ્ટેબિલિટી અને બેલેન્સ ફરીથી મેળવ્યું. પોતાનો સમય લીધો. તમારા શરીરે જે કર્યુ છે, તેના વખાણ કરે.

આલિયાએ મહિલાઓને આપી સલાહ

આલિયા ભટ્ટ લખે છે કે બાળકોને જન્મ આપવો ચમત્કાર છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લો.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 6 નવેમ્બરે માતા-પિતા બન્યા હતા. ત્યારબાદ આલિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુત્રીના નામનો ખુલાસો કર્યો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow