આ મહાશિવરાત્રિ પર ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપૂર બદામની ઠંડાઈ, શરીરમાં નહી લાગે એનર્જીની કમી

મહાશિવરાત્રિના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શંકરના ભક્તો આ તહેવારને ખુબ જ ધુમધામથી મનાવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબરુઆરી ના રોજ મનાવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન શંકરની ભાવથી પૂજા કરે છે,

ઉપવાસ રાખે છે. ફળાહાર અને ઠંડાઈ પર જ લોકો આખો દિવસ ઉપવાસ કરે છે. એવામાં અમે આજ તમારાં માટે બદામની ઠંડાઈ બનાવવાની રેસિપી લઈને આવયા છીએ. બદામમાં હેલ્થી ફેટ, વિટામિન, ફાઈબર, મિનરલ્સ અને એંટીઓક્સિડેંટ હોય છે. એટલે જ આ સ્વાદિષ્ટ ઠંડાઈ પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લગતી. તો ચાલો જાણીએ આ ઠંડાઈ બનાવવાની રીત.

બદામની ઠંડાઈ બનાવવા માટે જોઈતી સામગ્રી
- દૂધ 1 લીટર
- સૌફ એક ચમચી
3.ખસખસ એક ચમચી - બદામ 12
- એલચી 3
- ખાંડ 2 ચમચી
આવી રીતે બનાવો બદામની ઠંડાઈ
બદામની ઠંડાઈ બનાવવા માટે સૌપ્રથમ એક પૈનમાં દુધ લઈ તેને થોડો સમય માટે ઉકળવા દો. ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને 5 મિનીટ માટે પાકવા દો. ત્યારબાદ 2-3 કલાક સુધી પાણીમાં પલાળેલા બદામને છિણી ગ્રાઈન્ડરમાં પિસી તેનો પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને દુધમાં નાખી વ્યવસ્થીત રીતે મિક્સ કરી લેવાનું. જયાં સુધી દુધ અડધું ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવાં દો. ત્યારબાદ આ ઠંડાઈને ફ્રિજમાં ઠંડી થવા મુકી દો. હવે તમારી ઠંડાઈ તૈયાર છે. તમે આને બદામ અથવા અન્ય કોઈ ડ્રાઈફ્રૂટ દ્વારા ગાર્નિશ કરી શકો છો.